અમદાવાદથી ઉડીને જૈસલમેર આવનારી સ્પાઇસજેટની નિયમિત વિમાની સેવાના મુસાફરોનો શ્વાસ તે સમયે અટકી ગયો, જ્યારે સ્પાઇસજેટનું વિમાન ટેક્નિકલ કારણોથી જૈસલમેર એરપોર્ટના રનવે પર લેન્ડિંગ ન કરી શક્યું.
1 કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું વિમાન
3 વખત લેન્ડિંગ ફેલ, રડવા લાગ્યા મુસાફરો
વિમાનને પરત અમદાવાદ લઇ જવાયું
પાયલટે ત્રણ અલગ અલગ વખત પ્રત્યનો કરવા છતા લેન્ડિંગમાં સફળ ન રહ્યા અને અંદાજિત 1 કલાક વિમાનને પરત અમદાવાદ લઇ જવાયું. ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવી. અંદાજિત 2 કલાક બાદ વિમાન બીજા પાયલટ દ્વારા જૈસલમેર મોકલવામાં આવ્યું. મોડી સાંજે જૈસલમેરના રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.
મળતી માહિતી અનુસાર, સ્પાઇસજેટની ઉડાન સેવા એસજી 3012એ અમદાવાદથી જૈસલમેર માટે શનિવારે અંદાજિત 12.02 વાગ્યે ઉડાન ભરી હતી. અંદાજિત 1 કલાક આ વિમાન જૈસલમેર એરપોર્ટની નજીક આવ્યું. વિમાન ચાલક દ્વારા વિમાનને સુરક્ષિત લેન્ડિગના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ તેમાં તેઓ સફળ ન થઇ શક્યા. ત્યારબાદ વિમાનને પુનઃ આકાશમાં લઇ જવાયું અને ત્યારબાદ ફરી બે અલગ અલગ ડાયરેક્શનથી વિમાનનું લેન્ડિંગ કરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ શક્યતા છે કે ટેક્નિકલ કારણોને લઇને વિમાનનું લેન્ડિંગ ન થઇ શક્યું.
આ પ્રકારે વિમાન અંદાજિત 1 કલાક સુધી આકાશમાં ચક્કર લગાવતું રહ્યું. ત્યારબાદ અંદાજિત 2 વાગ્યે વિમાન ચાલક વિમાનને પ્રત અમદાવાદ લઇ ગયો. ત્યાં 2.40 પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. અંદાજિત 2 કલાક બાદ વિમાનને બીજી વખત જૈસલમેર માટે ઉડાન ભરી અને પરત જેસલમેર અંદાજિત 5.12 વાગ્યે પહોંચ્યા, ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થઇ શક્યું.