રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન મંગળવારે રાજ્યસભામાં વિશેષ સંરક્ષણ ગ્રુપ (સંશોધન) બિલ, 2019 પાસ કરાયું. આ પહેલા 27 નવેમ્બરે આ બિલ લોકસભામાં પસાર થયું હતું. ત્યારે કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે તેઓ ગૃહમંત્રી અમિત શાહના જવાબથી સંતુષ્ટ નથી.
કોંગ્રેસનો ગૃહમાંથી વોકઆઉટ,કહ્યું, તેઓ ગૃહમંત્રી અમિત શાહના જવાબથી સંતુષ્ટ નથી
આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી તરફથી રજુ કરવામાં આવેલા SPG સંશોધન બિલ પર જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે, એસપીજી સીઆરપીએફ, બીએસએફ અને અન્ય અર્ધસૈનિક દળોના જવાનોની છે, આ ત્રણેય ગાંધી પરિવારના લોકો જેમને સીઆરપીએફ કવર આપવામાં આવ્યું છે તેમા એસપીજીમાં કામ કરી ચુકેલા લોકો જ છે.
શાહે કહ્યું કે એસેસમેન્ટના આધારે આ પરિવારની સુરક્ષા માત્ર બદલવામાં આવી છે, નવા બિલથી માત્ર મોદીજીને નુકશાન થશે કેમકે પીએમ માટે છે. તેઓએ કહ્યું કે અમે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા.
ગૃહ મંત્રીએ કહ્યું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એક્ટ માત્ર પીએમના વ્યક્તિગત સુરક્ષાની ચિંતા નથી કરતું, પરંતુ અન્ય બાબતોની પણ સુરક્ષા કરે છે. શાહે કહ્યું કે થ્રેટનો સવાલ છે કે માત્ર ગાંધી પરિવારની જ નહીં પરંતુ 130 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે, એસપીજીની જિદ કેમ કરવામાં આવી રહી છે.
The Special Protection Group (Amendment) Bill, 2019 passed by Rajya Sabha. Congress had staged walkout from the House. pic.twitter.com/751OzjChiM
ગૃહ મંત્રાલયની તરફથી લોકસભામાં રજુ કરવામાં આવેલી રિપોર્ટ
જમ્મૂ કાશ્મીરમાં 5 ઓગસ્ટે આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઇને ખતમ કર્યા બાદથી આંતકી હુમલાઓમાં ઘટાડો આવ્યો છે. સંસદમાં આતંકી હુમલાઓ સાથે જોડાયેલા એક પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ આંકડાઓ રજુ કર્યા. રેડ્ડીએ સંસદને જણાવ્યું, '5 ઓગસ્ટ 2019થી 27 નવેમ્બર 2019 સુધી 115 દિવસોમાં 88 આતંકી ઘટનાઓ રેકોર્ડ થઇ. જ્યારે 12 એપ્રિલ 2019થી 4 ઓગસ્ટ 2019 સુધી આ પ્રકારની 116 ઘટનાઓ રિપોર્ટ થઇ હતી.
ગૃહ મંત્રાલયની તરફથી લોકસભામાં રજુ કરવામાં આવેલી રિપોર્ટ મુજબ, આ વર્ષે 2 ડિસેમ્બર સુધી 587 આતંકી હુમલાઓ થઇ ચુક્યા છે. જ્યારે ગત વર્ષે આ સંખ્યા 329 હતી. 2017માં આ કુલ આંકડા 342 અને 2016માં 322 આતંકી હુમલાઓ થયા હતા.
આ વર્ષે 86 જવાન થયા શહીદ
સંસદમાં રજુ કરવામાં આવેલી રિપોર્ટ મુજબ, કાશ્મીરમાં આ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં 86 જવાન શહીદ થઇ ચુક્યા છે. જ્યારે આ સમયગાળામાં ગત વર્ષે 74 જવાન શહીદ થયા હતા.
157 આતંકીઓને સેનાએ ઠાર માર્યા
ગૃહ મંત્રાલયની રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા દળોએ આ વર્ષે 2 ડિસેમ્બર સુધી 157 આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 37 સામાન્ય લોકોના જીવ ગયા છે. ગૃહ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે આ વર્ષે ઓક્ટોબર સુધીના આંકડાઓ અનુસાર આતંકીઓએ 84 વાર ઘુસણખોરી કરવાની કોશિશ કરી છે. જેમા 28 વાર તેઓ સફળ રહ્યા. આર્ટિકલ 370 હટાવ્યા પહેલા 53 વાર ઘુસણખોરીની કોશિશ થઇ હતી.