ચાણક્યએ ચાણક્યનીતિમાં આ 3 બાબતો માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચ કરવાની સલાહ આપી છે. આમ કરવાથી ધન-સંપત્તિ ઘટતી નથી પરંતુ વધે છે.
આ 3 મામલામાં બિંદાસ ખર્ચ કરો પૈસા
પોતાની કમાણીમાંથી કરો દાન
હંમેશા વધતા રહેશે ધન-સંપત્તિ
પોતાની કમાણીમાંથી કરો દાન
વડીલો હંમેશા સલાહ આપતા રહે છે કે મુશ્કેલીના સમય માટે થોડા પૈસા બચાવવા જોઈએ, જેથી કોઈ સામે હાથ ન ફેલાવવા પડે. એટલા માટે લોકો ઘણા પ્રકારે પૈસા ઇન્વેસ્ટ કરે છે. પરંતુ ઘર - પરિવાર અને પોતાની જરૂરિયાતો ઉપરાંત અમુક જગ્યાઓ પર હાથ ખોલીને પૈસા ખર્ચ કરવા જોઈએ. આ જગ્યાઓ પર પૈસા ખર્ચ કરવાથી વ્યક્તિની સંપત્તિ ઘટતી નથી પરંતુ વધે છે. મહામ અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ પણ ચાણક્યનીતિમાં પૈસા કમાવા, ખર્ચ કરવા અને બચત કરવાનાં ઘણા પ્રકારોની સાથે સાથે આ પણ જાણાવ્યું છે.
આ બાબતો માટે ખર્ચ કરો પૈસા
આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિઆ અમુક એવી જગ્યાઓ અને સ્થિતિઓ વિષે જણાવ્યું છે, જ્યાં વ્યક્તિએ પૈસા ખર્ચ કરવામાં લોભ ન કરવો જોઈએ, પરંતુ ખુલ્લા હાથે પૈસા ખર્ચ કરવા જોઈએ. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને સમ્માન અને સફળતા મળે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે ગરીબો, અસહાયો, જરૂરીયાતમંદોની મદદ માટે પૈસા ખર્ચ કરવામાં ક્યારેય અચકાવું ન જોઈએ. પરંતુ આવા લોકોને ભોજન, શિક્ષા, સ્વાસ્થ્ય, સુવિધા દેવામાં જેટલો પણ ખર્ચ કરો તેટલું સારું છે. શક્ય હોય તો પોતાની કમાણીનો એક હિસ્સો હંમેશા આવા લોકો પર ખર્ચ કરવો જોઈએ.
હંમેશા વધતા રહેશે ધન-સંપત્તિ
ચાણક્યનીતિ કહે છે કે આ ધર્મ માટે કરવામાં આવેલ કામ આગળના ઘણા જન્મો સુધી વ્યક્તિની સાથે રહે છે અને એટલા માટે વધારેમાં વધારે પૂણ્યકાર્ય કરવાની કોશિશ કરવી જોઈએ. ધાર્મિક કાર્યોમાં વધારે ભાગ લેવો જોઈએ, પૈસા દાન કરવા જોઈએ. આમ કર્વાથુઈ જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
આજ પ્રકારે સમાજ સાથે જોડાયેલા કામમાં લગાવેલ ધન વ્યક્તિને ખૂબ માન-સમ્માન અને સફળતા અપાવે છે. વ્યક્તિ સમાજમાં રહે છે અને સમાજથી ઘણા લાભ મેળવે છે એટલા માટે સમાજ પ્રત્યે તેની એક જવાબદારી છે, જે તેણે નિભાવવી જોઈએ. સામાજિક કાર્યોમાં પોતાનું ધન આપવું જોઈએ.