રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ થયાં બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક દિવસિય સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ BJP પર પ્રહારો કર્યાં છે.
સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યાં પ્રહારો
કોંગ્રેસ નેતા અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કર્યાનાં વિરોધમાં રવિવાર એટલે કે આજે કોંગ્રેસ સમગ્ર દેશમાં સત્યાગ્રહ આંદોલન કરી રહી છે. દિલ્હીનાં રાજઘાટમાં થઈ રહેલા કોંગ્રેસનાં 'સંકલ્પ સત્યાગ્રહ'ને સંબોધિત કરતાં પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહારો કર્યાં છે.
ભગવાન રામ અને પાંડવોનો ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે "હું પૂછવા ઈચ્છું છું કે ભગવાન રામ કોણ હતાં? તેમણે પોતાની ધરતી માટે પોતાનો ધર્મ નિભાવ્યો, શું તે પરિવાદવાદી હતાં કે શું પાંડવો પરિવારવાદી હતાં જેમણે પોતાના પરિવારનાં સંસ્કારો માટે લડત આપી હતી. અમારા પરિવારનાં લોકો આ દેશ માટે શહિદ થયાં શું અમને તેમના માટે શરમ આવવી જોઈએ."
'દેશને અમારા પરિવારે લોહીથી સિંચ્યું છે'
પ્રિયંકા ગાંધીએ કહ્યું,' આ દેશને અમારા પરિવારે લોહીથી સિંચ્યું છે. અમે ડરવાનાં નથી. આ દેશનાં લોકતંત્ર માટે વધુ મજબૂતીથી અમે લડશું. કોંગ્રેસ પાર્ટી આજે પણ દેશની આઝાદી માટે લડી રહી છે જે પહેલાં પણ લડી રહી હતી. દેશની સમગ્ર સંપત્તિ એક જ માણસને આપવામાં આવે છે. આ દેશની સંપત્તિ કોઈ રાહુલ ગાંધીની સંપત્તિ નથી, આ દેશની સંપત્તિ છે.'
મારા પિતા અને માતાનું અપમાન કરવામાં આવે છે- પ્રિયંકા
તેમણે પોતાના પિતા રાજીવ ગાંધીની શવ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ' રાહુલ ગાંધી ગાડીથી ઉતરીને પિતાનાં અંતિમ ક્રિયામાં પગપાળા ચાલવા લાગ્યાં હતાં, અહીંથી થોડી જ દૂર પિતાનો અંતિમ સંસ્કાર થયો હતો, એ શહીદ પિતાનું અપમાન સંસદમાં કરવામાં આવ્યું છે. શહીદનાં દીકરાને દેશદ્રોહી કહેવામાં આવ્યું,મીર જાફર કહેવાયું.'