વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને કમાલ કરી દીધી છે. પ્રશ્ર્ન અહીંયા એ છે કે શું ઈશાનને શ્રીલંકા સામેની સીરીઝમા સ્થાન મળશે?
વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ફટકારી બેવડી સદી
થોડાક જ દિવસમાં શ્રીલંકા સામે ટી20 સીરીઝ શરૂ થશે
શું ઈશાનને શ્રીલંકા સામેની સીરીઝમાં સ્થાન મળશે?
બાંગ્લાદેશ વિરૂધ્ધ ત્રીજી વનડે મેચમાં ઈશાન કિશને કમાલ કરી દીધી છે. ઈશાને આ મેચમાં 210 રન બનાવી બેવડી સદી ફટકારી છે. બેવડી સદી ફટકારનાર તેઓ ચોથા ભારતીય બેટ્સમેન બની ગયા છે. કેપ્ટન રોહિત શર્માએ સ્વસ્થ ન હોવાને લીધે પ્લેઈંગ-11 માં સ્થાન ખાલી છે. ત્યારે તેમની જગ્યાએ ઈશાનને સ્થાન મળી શકે છે.
પરંતું આ સાથે એક સવાલએ પણ ઉભો થાય છે કેમકે હવે જ્યારે શ્રીલંકા સામે સીરીઝ શરૂ થઈ રહી છે તો શું ઈશાનને તક મળશે? શું ઈશાન કિશન પ્લેઈંગ-11 માં તેનું સ્થાન પાક્કુ કરી શકશે. આ સવાલ એટલા માટે ઉભો થાય છે કેમકે વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયા હવે દરેક સીરીઝમાં પોતાની ફુલ તાકાતા દેખાડી રહી છે.
I cannot put into words what I’m feeling right now but I’ll try. I’m overwhelmed by the love, the messages, the wishes. This is an innings that will stay in my heart forever, a day that I won’t forget, and these moments that I’ll always carry with me. Thank you for everything 🇮🇳 pic.twitter.com/xlNzuWxA4w
શું ઈશાન કિશનનું સ્થાન કન્ફર્મ નથી થયું?
ઇશાને બાંગ્લાદેશ વિરૂદ્ધ 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી, જે દરમિયાન તેણે 126 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી, જે ODI ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર દિનેશ કાર્તિકે આ મેચ બાદ સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે શ્રીલંકા સિરીઝ માટે હવે શિખર ધવન ક્યાં ઊભો છે?
દિનેશ કાર્તિકે કહ્યું કે ઈશાનને બહાર રાખવો હવે મુશ્કેલ બનશે, શુભમન ગિલ પણ સતત રન બનાવી રહ્યો છે. જો રોહિત શર્મા વાપસી કરશે તો કોઈને કોઈને બહાર બેસવું પડશે અને આવી સ્થિતિમાં શિખર ધવન પર તલવાર લટકી શકે છે.
ઈશાન માટે અહીં તક છે
ઈશાન કિશન ડાબોડી વિકેટ કીપર અને બેટ્સમેન છે અને જો પ્લેઈંગ-11માં તેના માટે જગ્યા બનાવવામાં આવે તો તે વિકેટ કીપર તરીકે રમી શકે છે. સફેદ બોલના ફોર્મેટમાં ઋષભ પંતના પ્રદર્શન પર પણ આવા જ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, તે બાંગ્લાદેશ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો અને કેએલ રાહુલને તેની જગ્યાએ વિકેટ રાખવી પડી હતી. આવી સ્થિતિમાં ઈશાનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા મળી શકે છે અને કેએલ રાહુલ માત્ર બેટ્સમેન તરીકે જ રમી શકે છે.
ભારત માટે વનડેમાં સૌથી મોટી ઈનિગ્સ
રોહિત શર્મા-264
વીરેન્દ્ર સહેવાગ-219
ઈશાન કિશન-210
રોહિત શર્મા-209
રોહિત શર્મા-209
સચિન તેડુંલકર-200