આજે શનિવાર એટલે શનિદેવનો દિવસ. આજે એક ખાસ યોગ છે. આજે દેવ દિવાળી પણ છે આજે શનિની ઉપાસનાનો ખાસ દિવસ છે. આજના દિવસે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારો ખરાબ સમય દુર થાય છે અને પરિવારમાં ભરપૂર સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે.
- રાત્રી સમયે ગંગા યમુના સરસ્વતી જેવી નદીઓ તથા પવિત્ર સરોવરમાં સ્નાન કરવાથી માંથે આવેલ મુશ્કેલી દુર થાય છે.
- સ્નાન કર્યા પછી વિધિ પુર્વક ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પરિવાર પર આવેલી મુશ્કેલીઓ કે પછી લાંબા સમયથી ચાલ્યા આવતા ખરાબ સમયમાંથી મુક્તિ મળે છે.
- સાંજના સમયે દેવ મંદિર કે ગામના પાદરમાં રહેલ પીપળો કે પછી તુલસીના છોડની પાસે દિવો પ્રગટાવવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. આમ કરવાથી પુર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે તથા અન્ય પાપ પણ ઓછા થાય છે.
- કારતક પુનમના દિવસે ગરીબો નિર્ધન લોકો અને બ્રાહ્મણોને ભોજન અને દાન કરવુ જોઇએ. તથા પરિવારમાં રહેલા વડીલોના આશિર્વાદ લઇને દરેક કાર્યની શરૂઆત કરવાથી ફાયદો થશે અને ખરાબ સમય દુર થશે.