દરેક વ્યક્તિની એક કાયમી આશા હોય છે કે તે ધનવાન બને અને પોતાની જિંદગી વૈભવી રીતે જીવે. પરંતુ ક્યારેક આ વાત તેના કેટલાક કાર્યને કારણે સાર્થક થઇ શકતી નથી. ધન પ્રાપ્તિમાટે તેના ઉપાયો પણ તે સતત કરતા રહે છે. જો તમારે પણ ધનવાન થવુ હોય તો આ કામ ક્યારેય ના કરતા.
સમયસર ભોજન લેવુ જોઇએ.
- ભોજન લેવાનો સમય એક ફીક્સ હોય તો બિમારી આવવાની શક્યતાઓ એકદમ ઘટી જતી હોય છે. તો આ સમયસર જમી લેવાથી પણ ઘણા ફાયદા થાય છે અને નાંણાનો પણ બચાવ થાય છે. અને નિરોગી જીવન જીવી શકાય છે.
ગંદા કપડા પહેરવાનુ ટાળવુ જોઇએ
- ગંદા કપડા પહેરાનાર વ્યક્તિ પાસે ધનક્યારેય રહેતુ નથી. સાફ કપડાં નહીં પહેરનાર વ્યક્તિના કામ ક્યારેય સરળતાથી પાર પડી શકતા નથી. અને દરેક કાર્યમાં નિષ્ફળતા જ મળે છે.
કોઇપણ પરીસ્થીતીમાં નીતી ક્યારેય ના છોડવી
- ક્યારેક એવુ બનતુ હોય છે કે કોઇ કારણોસર માણસની નીતિ ચોખ્ખી હોવાને કારણે તેને ધાર્યુ ધન મળતુ નથી પરંતુ તે વાત ખોટી છે તાત્કલીક કદાચ ધન પ્રાપ્તિના થાય પણ થોડા સમય બાદ ચોકક્સ ધન મળે છે. તેથી ગમે તેવી પરિસ્થીતીમાં પોતાની ચોખ્ખી નીતીને ના છોડવી જોઇએ.
અભ્યાસ કરો
- ધન મેળવવાનુ એક માધ્યમ અભ્યાસ પણ છે. જો અભ્યાસ વ્યવસ્થિત હશે તો ધાર્યુ ફળ પણ મળશે અને ધન પણ મળશે તેથી અભ્યાસ કરવો જરૂરી છે.