મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ થયું છે. આ અગાઉ મોદી સરકારના છેલ્લા પાંચ કાર્યકાળમાં પાંચ વખત અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષના ફેબ્રુઆરીમાં અરુણ જેટલીના કથળેલા સ્વાસ્થ્યના કારણે પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. છેલ્લાં પાંચ બજેટમાં મોદી સરકારે શું અગત્યની જાહેરાતો કરી હતી તેના પર એક નજર કરીએ...
જેટલીના પાંચમા બજેટ વર્ષ ર૦૧૮-૧૯ની મહત્ત્વની વાતો
વર્ષ ર૦૧૭-૧૮માં ખાધ પ.૯પ લાખ કરોડ રૂપિયા રહી હતી. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧ર.૬ ટકાનો વધારો થયો. વર્ષ ર૦૧૭માં ઈન્કમટેક્સ કલેક્શન ૯૦ હજાર કરોડ રૂપિયા વધ્યું. સિનિયર સિટીઝન માટે સરકારે ડિપોઝિટ પર છૂટ ૧૦ હજારથી વધારીને પ૦ હજાર રૂપિયા કરી હતી. રપ૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ રપ ટકા કરવામાં આવ્યો હતો.
ર૦૧૬-૧૭ના બજેટમાં શું હતું?
કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપવા માટે રોડમેપની જાહેરાત કરવામાં આવી હતી. બેનામી સંપત્તિની જાહેરાતનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આવક ન દર્શાવી હોય તેવી સંપત્તિ પર ૪પ ટકા ટેક્સ અને પેનલ્ટી આપીને સજાથી બચવાની જોગવાઈ પણ તેમાં હતી. પરમિટ રાજથી પબ્લિક ટ્રાન્સપોર્ટને મુક્ત કરવામાં આવ્યું. ગ્રામીણ સમસ્યાઓના નિરાકરણ અને કૃષિક્ષેત્રને પ્રોત્સાહન આપવા અનેક નવા ઉપાયની જાહેરાત કરાઈ.
વર્ષ ર૦૧પ-૧૬ના બજેટમાં અગત્યની જાહેરાતો
આ બજેટમાં બેઝિક ટેક્સ છૂટની મર્યાદા બે લાખથી વધારીને ર.૧પ લાખ રૂપિયા કરવામાં આવી હતી. િસનિયર સિટીઝન માટે આ મર્યાદા ર.૧પ લાખથી વધારીને ૩ લાખ રૂપિયા કરવામાં આવી. સેક્શન-૮૦ (સી) હેઠળ છૂટની મર્યાદા ૧.૧ લાખ રૂપિયાથી વધારીને ૧.પ૦ લાખ રૂપિયા કરવામાં આવી. વેલ્થ ટેક્સ સમાપ્ત કરી દેવામાં આવ્યો.
ર૦૧૪-૧પના બજેટમાં શાના પર ભાર મુકાયો હતો?
મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મધ્યમવર્ગના લોકોને અનેક છૂટ આપવામાં આવી. આવકવેરામાં મર્યાદા ર લાખથી વધારીને ર.પ લાખ રૂપિયા કરવામાં આવી. હાઉસિંગ લોન ઉપર છૂટની મર્યાદા ૧.પ લાખ રૂપિયાથી વધારીને ર લાખ રૂપિયા કરવામાં આવી. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અપાયું અને સ્માર્ટ સિટીઝની જાહેરાત પણ કરવામાં આવી.