તમારી પાસે જો સોનાની જ્વેલરી અથવા સોનાના સિક્કા છે તો તમે એને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ હેઠળ જમા કરીને વ્યાજની સાથે સાથે ઘણા ફાયદા ઊઠાવી શકો છો. SBI તમારી જ્વેલરી અથવા સોનાના શુદ્ધતાની આધાર પર તમને સોનાનું જમા પ્રમાણ પત્ર આપે છે. બીજી બાજુ જ્યારે જમાની મર્યાદા ખતમ થઇ જાય છે ત્યારે 3,4,5 અથવા 6 વર્ષ બાદ તમે એ સોનાને અથવા ગોલ્ડના રૂપમાં અથવા રોકડના રૂપમાં વ્યાજની સાથે એ સમયના ભાવના આધાર પર પ્રાપ્ત કરી શકો છો.
કોણ કરી શકે છે એમાં રોકાણ
એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, ભારતમાં રહેતો કોઇ પણ વ્યક્તિ આ સ્કીમમાં સામેલ થઇ શકે છે. સિંગલ, જોઇન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. એચયૂએફ, પાર્ટનરશિપ ફર્મ પણ એમાં રોકાણ કરી શકે છે.
ઓછામાં ઓછું કેટલું સોનું જમા કરવું પડશે
આ સ્કીમ હેઠળ 30 ગ્રામ સોનું જમા કરવું ફરજીયાત છે, વધારેની કોઇ લિમીટ નથી.
કેટલા વર્ષ માટે હોય છે જમા
આ સ્કીમમાં 1-3 વર્ષ માટે જમા કરવામાં આવે છે. એસબીઆઇમાં આ સ્કીમનું નામ શૉટ ટર્મ બેંક ડિપૉઝીટ રાખવામાં આવ્યું છે. બીજી બાજુ મીડિયમ અને લૉન્ગ ટર્મ માટે જમા મર્યાદા 5-7 અને 12-15 વર્ષ છે.
કેટલું મળશે વ્યાજ
STDB સ્કીમમાં હાલ એક વર્ષ માટે 0.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બે વર્ષ માટે 0.55 ટકા અને ત્રણ વર્ષ માટે 0.60 ટકા છે. જ્યારે લૉન્ગ ટર્મ એટલે કે 5-7 વર્ષ માટે 2.25 ટકા વર્ષનું વ્યાજ મળશે. 12-15 વર્ષ માટે 2-5 ટકા વર્ષનું વ્યાજ મળશે. જ્યારે એક વર્ષના નક્કી કરેલા સમય પહેલા પૈસા નિકાળવા પર વ્યાજ દર પર પેનલ્ટી લાગશે.
SBIની દિલ્હીમાં પીબી બ્રાંચ, SME બ્રાંચ, ચાંદની ચોક, કોયમ્બતૂર બ્રાંચ, હૈદરાબાદની મેન બ્રાંચ, મુંબઇની બુલિયન બ્રાંચમાં એનો ફાયદો ઊઠાવી શકાય છે.
ટેક્સમાં છૂટ
જો તમારી પાસે કમાણી કરતા વધારે સોનું છે તો તમારે એના માટે સંપત્તિ કર હેઠળ ટેક્સ ભરવો પડશે.
સોનાના ભાવ વધવા પર મળશે વધારે ફાયદો
જ્યારે તમારી સોના જમા યોજના પરિપક્વ હોય છે, તો તમે હાલના દરો પર રિડીમ કરો છો. જેનો અર્થ એ છે કે સોનાની કિંમતોમાં વધારો થયો છે. તો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. તમે એને લોકરમાં રાખેલી સોનાની કિંમતથી સરખામણી કરો. તમને અહીંયા પર ડિપૉઝીટ સ્કીમમાં વ્યાજ મળશે પરંતુ લોકરમાં રાખેલા સોના પર મળશે નહીં.