કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું જોકે હવે પ્રવાસીઓ માટે 8 જૂનથી ખુલ્લું મુકવામાં આવનાર છે.
ફરવા જવાનું વિચારતા લોકો માટે મહત્વનો નિર્ણય
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે
8 જૂનથી ઓનલાઇન, ઓફલાઈન ટિકિટ પણ મળશે
કોરોના કેસ વધતા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કેસ ઘટતા સરકાર દ્વારા ફરી તેને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફ લાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે કોરોના કાળમાં જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવતો હતો અંદાજીત એક મહિનાથી કોરોનાને પગલે ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, રાજ્યમાં કોરોના કેસમાં ઘટડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સરકારી-ખાનગી કાર્યાલયોને પણ 100 ટકા સ્ટાફ સાથે ફરી શરૂ કરવામાં આવ્યા છે તો રાજ્યામાં આજથી નવા શૈક્ષણિત સત્રનો પણ પ્રારંભ થઈ ગયો છે જેને લઈ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જો કે સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો જ નિર્દેશ કર્યો છે.
તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી શરૂ કરવાના નિર્ણય કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે કરવામાં આવનાર છે જેથી હવે ફરવાના શોખીન લોકો કેવળીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ લાહવો માણી શકશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું...જે હવે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે
8 જૂનથી ઓનલાઇન, ઓફલાઈન ટિકિટ પણ મળશે
અહેવાલ મુજબ કોરોના ગાઈડલાઈન સાથે પ્રાવસીઓને પ્રવેશ અપાશે પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું જોકે હવે પ્રવાસીઓ માટે 8 જૂનથી ખુલ્લું મુકવામાં આવનાર છે.
ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્કર ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સીટી સહીત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવશે. ટેન્ટ સીટી અને હોટલોના માલિકો જણાવી રહ્યા છે કે ગત વર્ષ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકસાન થયું છે ત્યારે હવે ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખી બેઠા છે ત્યારે કાલથી શરૂ થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓને પણ ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે એવી વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવી છે.