રાજકોટમાં આજી નદીના કિનારે ઘાટ પર હવે રામનાથ મહાદેવ ભક્ત ગણ અને બડાબજરંગ ફાઉન્ડેશન દ્વારા વિશેષ આરતીનું કરાયું આયોજન
રાજકોટવાસીઓને રામનાથ મહાદેવ ઘાટ પર મળશે આરતીનો લાભ
આજી નદીની વિશેષ આરતીનો હવે લાભ મળશે
આજી નદીના પટ પાસે ઘાટ પર બ્રાહ્મણો દ્વારા કરાયું આરતીનું આયોજન
ભારતમાં ઈશ્વરની પૂજાની સાથે નદી, પહાડોનું મહત્વનું છે. ત્યારે રાજકોટ શહેર આજી ડેમના કિનારે વસેલુ છે. તેવું કહેવાય છે. અને આજી નદી પણ એક મા તૂલ્ય છે. અને ભારતમાં નદીઓની પણ પૂજા કરવામાં આવે છે. ગંગામૈયાની પૂજા દૈનિક કરવામાં આવે છે. અને પંડિતો દ્વારા માતાની આરતી ઉતારવામાં આવે છે. આ આરતીની અનેક વિશેષતાઓ હોય છે. એક સાથે 8 જેટલા બ્રાહ્મણો એક જ સાથે પદ્ધતિસર આરતી ઉતારે છે. જેને જોવા લોકોની ભીડ પણ એકઠી થાય છે. ત્યારે આ પ્રકારની આરતીનો લ્હાવો હવે રાજકોટવાસીઓને પણ મળશે. આજી નદીના કિનારા પર ઘાટ બનાવવામાં આવ્યો છે. જ્યાં હવે રામનાથ મહાદેવ ભક્ત ગણ અને બડાબજરંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને રામનાથ મહાદેવ ઘાટ પર આરતીનું આયોજન કરાયું છે. જેને જોવા અનેક લોકોની ભીડ એકઠી થઈ હતી.