કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. આ વખતે હોળી પર કર્મચારીઓ દિલ ખોલીને ખર્ચો કરી શકશે. સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ અંતર્ગત કર્મચારીઓને 10 હજાર રૂપિયા આપી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી
હોળીના તહેવાર પર આપી શકે છે 10,000 રૂપિયા
કોઈ પણ વ્યાજ વગર લઈ શકશો આ રૂપિયા
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. આ વખતે હોળી પર કર્મચારીઓ દિલ ખોલીને ખર્ચો કરી શકશે. સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ અંતર્ગત કર્મચારીઓને 10 હજાર રૂપિયા આપી શકે છે. જે અંતર્ગત કર્મચારીઓ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના વ્યાજ વગર 10 હજાર રૂપિયા એડવાંસમાં લઈ શકશે.
કેન્દ્રીય કર્મચારીઓને મળશે એડવાંસ
હકીકતમાં જોઈએ તો, કેન્દ્ર સરકારની એડવાંસ સ્કીમ અંતર્ગત સરકાર કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયા આપવાની જોગવાઈ કરી શકે છે મતલબ કે, કેન્દ્રના કર્મચારીઓને હોળીના તહેવાર પર 10,000 રૂપિયાનું એડવાંસ લઈ શકશે. સૌથી મોટી વાત એ છે કે, તેના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગશે નહીં. ગત વર્ષે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે તેની જાહેરાત કરી હતી.
પ્રી લોડેડ હશે આ એડવાંસ
અહીં ઉલ્લેખનીય છે કે, તહેવાર માટે આપવામાં આવી રહેલું આ એડવાંસ પ્રી લોડેડ હશે, તેના માટે કેન્દ્રીય કર્મચારીઓને એટીએમમા આ પૈસા પહેલા જ આવી જશે.કર્મચારીઓને તેને ફક્ત ખર્ચ કરવાનો રહેશે. કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા 10,000 રૂપિયાના એડવાંસ પર કોઈ વ્યાજ ચુકવવાનું થતું નથી. સાથે જ આ પૈસાની 10 હપ્તામાં પાછા આપી શકશો. એટલે કે, 1 હજાર રૂપિયાના માસિક હપ્તા પર કોઈ પણ કેન્દ્રીય કર્મચારી 10 હજાર રૂપિયા લઈ શકશે.
4000-5000 કરોડ રૂપિયા ફાળવી શકે છે સરકાર
આ ખાસ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ અંતર્ગત લગભગ 4000-5000 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત થઈ શકે છે. એટલુ જ નહીં, રાજ્ય સરકારો પણ આ સ્કીમને લાગૂ કરી શકે છે. અને જો આવું થશે તો, લગભગ 8000-10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, સૂત્રોનું માનીએ તો, એડવાંસ સ્કીમ અંતર્ગત બૈંક ચાર્જ પણ સરકાર ઉઠાવશે. એટલે કે કર્મચારીઓને આ એડવાંસ પણ ડિજીટલ રીતે ખર્ચ કરી શકશો.
ટ્રાવેલ અલાઉંસ ક્લેમ એક્સટેંડ
અહીં ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે Leave Travel Allowance (LTA) ને પણ બે વર્ષ માટે એક્સટેંમડ કરી દીધું હતું. તેનાથી કેન્દ્રીય કર્મચારી પૂર્વૌત્તર, લદ્દાખ, અંડમાન-નિકોબાર અને જમ્મુ કાશ્મીરના પ્રવાસ માટે લીવ ટ્રાવેલ અલાઉંસનો ઉપયોગ માર્ચ 2022 સુધી કરી શકશે. આપને જણાવી દઈએ કે, કર્મચારીઓને દર 3 વર્ષે લીવ ટ્રાવેલ અલાઉંસ આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓ ક્યાંય પણ ફરે તો ટ્રાવેલ અલાઉંસ ક્લેમ કરી શકશે.