આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃત મહત્સવ માટે અમદાવાદ આવ્યા હતા. જેમાં તેમણે બોલીવૂડ સેબેલ્બ સાથે પણ વાતચીત કરી હતી.
અમદાવાદમાં અમૃત મહોત્સવ
PM મોદી રહ્યાં હતા હાજર
બોલિવૂડ સેલેબ્સે કરી VTV ગુજરાતી સાથે વાતચીત
અનુપમ ખેર ઉપસ્થિત
અમૃત મહોત્સમાં બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે VTV સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આજે હું એક્ટર તરીકે નહીં ભારતીય નાગરિક તરીકે આવ્યો છું.
એક્ટરે ઇતિહાસ વિશે પણ વાતો કરી હતી. તેમણે કહ્યું કે, ઇતિહાસના ધરોહરની જાળવણી જરૂરી છે. ગાંધીજીને યાદ કરતા તેમણે વધુમાં કહ્યું કે, ગાંધી વિચારથી એક ઉદ્દેશ્ય શીખવા મળ્યો કે સંયમ જરૂરી છે.
જુબિનનું પફોર્મન્સ
બોલીવૂડના જાણીતા ગાયક જુબિન નોટિયાલ પણ અમૃત મહોત્સવ સમારોહમાં જોડાયા હતા. જુબિન નોટિયાલે સમારોહમાં દેશભક્તિનું ગીત રજૂ કર્યુ હતું. VTV NEWS સાથે ઝુબિન નોટિયાલે ખાસ વાતચીત કરી હતી.
જુબિને જણાવ્યુ હતું કે યુવાનોએ ગાંધીજીને ખાસ જાણવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કેમ મને બાપુના આશ્રમ જઈને સત્યના પાઠ શીખવા મળ્યા છે.
ગુજરાત, ગાંધીજી અને દાંડીયાત્રા. આ ત્રણનો સંગમ અને એ ઐતિહાસીક ઘટના વિશે ગુજરાતી તરીકે જાણવું જ જોઈએ.
શું હતી એ દાંડી યાત્રા?
મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં કરવામાં આવી હતી યાત્રા
મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી દાંડી સુધી કરી યાત્રા
ગાંધીજી અને તેમના અનુયાયીઓ 25 દિવસ બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલે દાંડી પહોચ્યાં હતા
દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે