શિવજીની આરાધનાનો પાવન અવસર એટલે શિવરાત્રી. આ દિવસે સર્જાવા જઇ રહ્યો છે વિશેય યોગ, સાચા મનથી કરશો પૂજા તો મનોકામના થશે પૂર્ણ
શિવજી-પાર્વતીનું મિલન એટલે શિવરાત્રિનો પર્વ
આ વર્ષે સર્જાશે પંચગ્રહી યોગ
મકર રાશિમાં ભેગા થશે પાંચ ગ્રહો
1લી માર્ચે મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવાલયો હરહર ભોલેના નાદથી ગૂંજી ઉઠશે. શિવજીના દર્શન કરવા તેમજ અભિષેક કરવા માટે ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. પરંતુ આ વખતે મહાશિવરાત્રિનો પ્રભાવ કંઇક અલગ જ જોવા મળશે કારણ કે આ દિવસે એક વિશેષ યોગ બનવા જઇ રહ્યો છે જે ભક્તોને લાભ અપાવશે.
આ વર્ષે મહાશિવરાત્રિ કેમ છે ખાસ ?
દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતી માતાના મિલનનો ઉત્સવ મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. આ દિવસે શિવજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારે આ વખતે મહાસંયોગ રચાવા જઇ રહ્યો છે. મહાશિવરાત્રિના દિવસે પાંચ ગ્રહોનો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે. આ શુભ સંયોગ અને શુભ મુહૂર્ત પર ભક્ત દ્વારા વિધિ પૂર્વક પૂજા આરાધના કરવામાં આવે તો અવશ્ય મનોકામના પૂરી થાય છે.
કેવો રચાશે સંયોગ ?
જ્યોતિષના જણાવ્યાનુસાર મહાશિવરાત્રિએ પંચગ્રહી યોગ બનવા જઇ રહ્યો છે. 12માં ભાવમાં મકર રાશિનો પંચગ્રહી યોગ બનશે. આ રાશિમાં મંગળ, શનિ, બુધ, શુક્ર અને ચંદ્રમાં આ પાંચેય ગ્રહોનું મિલન થશે, લગ્નમાં કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ બની રહેશે. ચોથા ભાવમાં રાહુ વૃષભ રાશિમાં રહેશે જ્યારે કેતુ દસમા ભાવમાં વૃશ્ચિક રાશિમાં રહેશે. પરિઘ યોગ ધનિષ્ઠ નક્ષત્રમાં રહેશે. ધનિષ્ઠા પછી શતભિષા નક્ષત્ર રહેશે. પરિઘ બાદ શિવ યોગ થશે. આ પંચગ્રહી યોગ વિશેષ ફળ આપનાર છે. આ દિવસે જે પણ ભક્તો મહાદેવની ભક્તિમાં તલ્લીન થઈને ભગવાનની પૂજા કરે છે, ભગવાન શિવ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
મહાશિવરાત્રિએ કયા સમયે કરશો પૂજા
મહાશિવરાત્રિ એક માર્ચે છે. આ દિવસે સવારે 3.16 કલાકથી શરુ થઇને બુધવારે 10 વાગ્યા સુધી મહાશિવરાત્રિ ગણાશે. રાશિમાં શિવજીના પૂજનનો શુભ સમય સાંજે 6.22 થી શરુ થઇને રાત્રે 12.33 સુધી રહેશે. જ્યોતિષના કહેવા મુજબ મહાશિવરાત્રિના દિવસે કોઇ પણ સમયે તમને ભગવાન શિવની આરાધના કરી શકો છો.