ઉદયપુરના લક્ષ્મી વિલાસ હોટલને સસ્તી કિંમતે વેચવા બદલ FIR નોંધવા આદેશ આપવામાં આવ્યા છે. CBI કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો છે. પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત 5 લોકો સામે FIR નોંધાશે.
CBI કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા કર્યો આદેશ
જોધપુર CBI કોર્ટે હોટલનું હાલની સ્થિતિની સમીક્ષા કરવા કર્યો છે આદેશ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીની વિરુદ્ધ એફઆઈઆરના આદેશ આપવામાં આવ્યા છે. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ પીકે શર્માના માધ્યમથી ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલામાં અરુણ શૌરીની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
વર્ષ 2002માં અરૂણ શૌરી કેન્દ્રિય મંત્રી હતા ત્યારે સાડા 7 કરોડમાં હોટલને વેચી હતી. અરૂણ શૌરીએ લલિત ગ્રુપને સાડા 7 કરોડમાં લક્ષ્મી વિલાસ હોટલ વેચી હતી. જેને પગલે CBI કોર્ટે અરૂણ શૌરી સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો છે.
ઉદેપુરમાં આવેલી લક્ષ્મી વિલાસ હોટલની કિંમત 252 કરોડથી પણ વધુ છે. CBIએ કેસમાં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે CBI કોર્ટે ક્લોઝર રિપોર્ટ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
જોધપુર CBI કોર્ટે હોટલની હાલની સ્થિતિની સમીક્ષા કરવા આદેશ કર્યો છે. હાલ લક્ષ્મી વિલાસ હોટલનું સંચાલન ITDCને સોપવામાં આવશે. 2002માં લક્ષ્મી વિલાસ હોટલમાં પુન:રોકાણને કારણે વાજપેયી સરકારનો વિરોધ પણ થયો હતો. જોકે આ હોટેલ સસ્તામાં વેચાઈ હોવાના વિવાદ પર પૂર્વ મંત્રી અરૂણ શૌરી સહિત 5 લોકો સામે FIR નોંધાશે.