-કવન આચાર્ય
વિદેશની ધરતી પર રહીને પણ ભારતીય પત્રકારત્વની આહલેક જગાવનાર પત્રકાર અને આઝાદી સંગ્રામના અનોખા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1857નાં રોજ ભુજનાં માંડવી ખાતે થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા શ્યામજીના પિતાનું નામ કરસનજી હતું. જન્મથી જ દેશમાંટે કાંઇક કરી છુટવાની ભાવના ધરાવનાર શ્યમાજીએ બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મુંબઇની વિલ્સન હાઇસ્કુલમાં તેઓએ અભ્યાસ કર્યો અને ઉચ્ચ અભ્યાસ મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં કર્યો.
ચહેરા પર ચમક સોનેરી ફ્રેમ ધરાવતાં ચશ્મા અને ઓવરકોટમાં સજ્જ થયેલ શ્યામજીની આવડતથી અંજાઇને શેઠ છબીલદાસે તેમની પુત્રી ભાનુમતિના લગ્ન શ્યામજી સાથે કરાવ્યા. મુંબઇનાં ફરામજી કાવસજી હોલમાં યોજાયેલ આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના વ્યાખ્યાનથી તરબતર થયેલ શ્યામજી વિચારોથી ક્રાંતિવીર હતા. મુંબઇની શેઠ ગોકુળદાસ પાઠશાળામાં તેમણે સંસ્કૃતનું અધ્યયન કર્યું. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા. ભારતની સ્વરાજ્ય સાધના માટે વિદેશમાં રહીને 1905માં હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. સમગ્રજીવન બ્રિટીશ સામ્રાજ્ય વદ સામેના સંઘર્ષમાં સમર્પિત થયું. વિદેશમાં રહીને પણ ક્રાંતિકારી વીર સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી અજોડ છે. શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશ ગયેલ ભારતીય વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવા તેમણે ઇંન્ડીયા હાઉસની શરૂઆત કરી. તેમણે વિદેશમાં રહીને જ તેમણે The Indian Sociologist નાંમના અખબારની પણ શરૂઆત કરી. આ અખબારમાં ભારતની આઝાદી ચળવળમાંટે શ્યામજી કૃષ્ણ વર્મા સતત લખતાં હતા. તેમની કલમ સતત ભારતની આઝાદી અંગેની વાતો કરતી હતી.
ઉલ્લેખનીય છે કે ટુંકી માંદગીને કારણે તેમનું જીનીવા ખાતે નિધન થતાં ભારતના એક ક્રાંતિકારી સુર્યનો કાયમ માટે અસ્ત થયો આ ક્રાંતિવીર આઝાદીના સુર્યનું પ્રથમ કિરણ ના જોઇ શક્યા. કચ્છનું રતન ગણાતા શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ હતી કે તેમના અસ્થિ વિસર્જન આઝાદ ભારતમાં કરવામાં આવે તેમની આ ઇચ્છા છે ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ પુરી કરી. 4 ઓક્ટોબર 2009નાં રોજ તેમના જન્મ સ્થળ માંડવી નજીક આવેલ મસ્કા ગામ ખાતે તેમની યાદો સાચવતા એક સ્મારકની રચના કરવામાં આવી છે. આ સ્થળ ક્રાંતિ તીર્થ તરીકે ઓળખ પામ્યુ છે. ભારતીય પત્રકારત્વના ક્રાંતિકારી પત્રકાર સાથે જોડાયેલ ઢગલા બંધ વાતો સાચવીને બેઠેલ ક્રાંતિતીર્થની દિવાલો પણ ભારતમાંના વિર સપુતનો મહિમા અચુક સંભળાવે છે. કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.