અંદરથી તૂટી ગયેલો માણસ નવી ઉમ્મીદો અને સ્વપ્નાઓને વાસ્તવિક જીવનમાં રુપાંતર કરવા માટે જીવનમાં એક વાર "પલાયન" અવશ્ય થતો હશે."પલાયન" થવું એટલે મંઝીલને પામવા ચાલી નીકળવું. અર્થાત ખૂબ સંઘર્ષ કરવો(ક્યાંક વાંચેલુ).
જ્યાં પ્રેમ અને નફરત બંને ન હોય ત્યારે માણસ એકદમ સ્પષ્ટ હોય છે. તૂટી ગયેલા માણસ જેવો. ઘરની દિવાલની જેમ ધરાશયી થયેલો માણસ જ્યારે "પલાયન" થતો હશે એ મૌન ખરેખર કેવું હશે? કોણ સમજી શકતું હશે? ખૈર દરેક માણસ એક વાર તે "પલાયન" થતો જ હશે એ ક્ષણ પણ અનુભવવા જેવી હશે.
પલાયન થયેલી વ્યક્તિ જીવનમાં ઉંચા મુકામ ચોક્કસથી હાંસલ કરે છે. પલાયનનો કઠિન અને કાંટાળો મારગ જ માણસને સફળતાના સુધી લઈ જઈ સાંસારિક જીવનમાં છોડી દે છે અને જે તે વ્યક્તિને મોકળાશનો અનુભવ કરાવે છે.
જતા જતા ફરી કહું છું પલાયન એટલે રફ્ફૂચક્કર થઈ જવુ એ નહી "પલાયન" એટલે સંભાવનાઓની તલાશ.."પલાયન" એટલે સ્વપ્નાઓના સમંદર સુધી પહોંચવાના મરણીયા પ્રયાસો અને ત્યારબાદની સફળતા.