23 જુલાઈથી શરુ થનાર ટોક્યો ઓલિમ્પિક 2021 માં ભાગ સેક્સથી બચાવવા માટે ખેલાડીઓના સુવા માટે એક ખાસ પ્રકારનો બેડ તૈયાર કરાયો છે.
23 જુલાઈથી શરુ થનાર ટોક્યો ઓલંપિક્સ 2021 શરુ થશે
ખેલાડીઓને સેક્સથી બચાવવા મેનેજમેન્ટે તૈયાર કર્યો ખાસ બેડ
બેડ પર એક જ ખેલાડી સુઈ શકશે
બે વ્યક્તિ સુવાનું ગોઠવશે તો ભાંગી જશે
અને ઓથોરિટીને તેની જાણ થઈ જશે
ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે તથા તેઓ ફક્ત ગેમમાં જ ધ્યાન આપી શકે તે માટે ઘણા ઉપાયો કરાયા છે અને આવો એક ઉપાય સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ટોકિયોના જે ગામમાં ઓલિમ્પિક થવાની છે ત્યાં ખેલાડીઓ માટે એન્ટી સેક્સ બેડ બનાવાયા છે જેથી કરીને ખેલાડીઓ સેક્સ ન માણે અને સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જળવાઈ રહે.
ખેલાડીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનો ઉદ્દેશ
આ એન્ટી સેક્સ બેડની ખાસિયત એ છે કે તે કાર્ડબોર્ડના બનેલા છે અને તે એક વ્યક્તિનો ભાર સહન કરી શકે તેવી જ રીતે બનાવાયા છે એક કરતા વધારે લોકોના ભારથી બેડ તૂટી જશે. એન્ટી સેક્સ બેડ બનાવવાનો ઉદ્દેશ ખેલાડીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનો છે.
Beds to be installed in Tokyo Olympic Village will be made of cardboard, this is aimed at avoiding intimacy among athletes
Beds will be able to withstand the weight of a single person to avoid situations beyond sports.
જમીન પર સુવાની પ્રેક્ટિસ કરવી જોઈએ કામમાં આવશે- અમેરિકન ખેલાડી
અમેરિકાના સ્પ્રિન્ટર પોલ ચેલિમોએ આ બેડની તસવીર ટ્વિટ કરીને જણાવ્યું કે ટોકિયો વિલેજમાં કાર્ડબોર્ડ બેડ બનાવાયા છે. મને લાગે છે કે હવે મારી જમીન પર સુવાની પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે જો મારો બેડ તૂટી જાય તો મને જમીન પર સુવાની ટ્રેનિંગ કામમાં આવશે. ટોક્યિો જતી વખતે આ વાતની ખૂબ ચિંતા થાય છે.
એન્ટી સેક્સ બેડ બનાવી લીધા પરંતુ ફ્લોર અને બાથરુમનું શું- બીજા યુઝરનો સવાલ
એન્ટી સેક્સ બેડની તસવીરો વાયરલ થયા બાદ લોકોએ પણ મજાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે કહ્યું કે કોરોનાની આટલી બધી ચિંતા થતી હોય તો ગેમ જ બંધ રાખોને. બીજા યુઝરે લખ્યું કે એન્ટી સેક્સ બેડ બનાવી લીધા પરંતુ ફ્લોર અને બાથરુમનું શું.
ઉલ્લેખનીય છએ કે ટોકિયો 2020 ઓલિમ્પિક માટે આયોજકોએ ચાર કોન્ડોમ કંપનીઓની સાથે ડીલ કરી છે. ડીલ પ્રમાણે આ કંપનીઓ ખેલાડીઓને 1.60 લાખ કોન્ડોમ આપશે. આયોજકોએ કંઈ ખેલાડીઓને વાપરવા માટે કોન્ડોમ આપ્યા નથી પરંતુ તેઓ ઘેર જઈને લોકોને સેક્સ સંબંધિત બીમારીઓથી જાગૃત કરે તે માટેનો હેતુ છે.