મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભાવિકો માટે ખુલ્લું રહેશે. શિવભક્તો મહાશિવરાત્રીએ મહામૃત્યુંજય યજ્ઞનો પણ લાભ લઈ શકશે.
મહાશિવરાત્રીને લઈ સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન
શિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખુલી જશે કપાટ
મહાશિવરાત્રીને કારણે સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર
મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ પણ ભક્તોને આવકારવા આતુર છે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.
4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે
મહાશિવરાત્રી પર મોટી સંખ્યામાં ભાવિકોનો સમૂહ સોમનાથ મહાદેવના દર્શને આવે તેવી પૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અવગડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર છે.
મહાશિવરાત્રીનું મહત્વ
મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ તારીખે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રી પર, અપરિણીત છોકરીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને શિવ પૂજામાં લીન રહે છે અને ભગવાન શિવને યોગ્ય વર મેળવવા માટે પ્રાર્થના કરે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જલાભિષેક અને રુદ્રાભિષેક કરવાથી તમામ પ્રકારની ખુશીઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રી પર સવારથી જ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જામવા લાગે છે.
મહાશિવરાત્રી પૂજા પદ્ધતિ
ફાલ્ગુન મહિનાની મહાશિવરાત્રી એ તમામ 12 મહિનામાં દર મહિને ઉજવાતી માસિક શિવરાત્રીમાં સૌથી વિશેષ અને મનોકામના પૂર્ણ કરતી શિવરાત્રી છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પૂજાનું વ્રત લઈને નજીકના શિવ મંદિરમાં જવું. આ પછી મનમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને યાદ કરીને તેમનો જલાભિષેક કરો. મહાશિવરાત્રિ પર શિવ પૂજા દરમિયાન ભગવાન શિવને અક્ષત, સોપારી, સોપારી, દૂધ, દહીં, મધ, ઘી, ધતુરા વગેરે અર્પણ કરો. પૂજા દરમિયાન શિવ મંત્રોનો જાપ કરતા રહો.