બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મ 'છાવા'ના ક્લાઇમેક્સમાં એવું તો શું જોવા મળ્યું, કે લોકો ઇમોશનલ થઇ ગયા, જુઓ Video

મનોરંજન / ફિલ્મ 'છાવા'ના ક્લાઇમેક્સમાં એવું તો શું જોવા મળ્યું, કે લોકો ઇમોશનલ થઇ ગયા, જુઓ Video

Last Updated: 11:52 AM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકી કૌશલની ફિલ્મ 'છવા'ના ક્લાઈમેક્સની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ચાલો જાણીએ કે ફિલ્મમાં એવું શું છે જે લોકોને ભાવુક કરી રહ્યું છે.

વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ ફિલ્મ છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેમણે મરાઠા સામ્રાજ્યના મજબૂત યોદ્ધા તરીકે ઔરંગઝેબના શાસન સામે ખુબજ લડાઈ લડી છે. ‘છાવા’ ફિલ્મનો ક્લાઇમેક્સ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેનાથી કોઈ પણ દર્શકની આંખોમાં આંસુ આવી શકે. આ ફિલ્મનો અંતે સંભાજી મહારાજના જીવનના એક એવા દ્રશ્યનો બતાવવામાં આવ્યું છે, જે ન માત્ર દુઃખદ અને હૃદય સ્પર્શી છે.

chhaava

‘છાવા’ ફિલ્મની વાર્તા

‘છાવા’ ફિલ્મ 17મી સદીના ઔરંગઝેબના શાસનના સમયગાળાને દર્શાવીને બનાવવામાં આવી છે. ફિલ્મ 'છાવા'નો ક્લાઇમેક્સ જાણવા માટે, તમારે પહેલા તેની વાર્તા જાણવી પડશે. ફિલ્મની વાર્તા છત્રપતિ સંભાજી મહારાજના જીવનથી પ્રેરિત છે. સંભાજી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા, જેમને છાવ તરીકે પ્રખ્યાત કરવામાં આવ્યા હતા.

આ ફિલ્મમાં વિક્કી કૌશલે પોતાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ દિલ્હીમાં ઔરંગઝેબના શાસનથી શરૂ થાય છે. સમાચાર આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન થયું છે. મુઘલો માને છે કે મરાઠાઓનો અંત આવી ગયો છે, પરંતુ તેઓ સિંહ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છાવ ઉર્ફે સંભાજી મહારાજથી અજાણ છે જે તેમના શાસનને ઉખેડી નાખવા તૈયાર છે. અહીંથી છાવ અને ઔરંગઝેબ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે.

ક્લાઇમેક્સ

'છાવા'નો ક્લાઇમેક્સ ખૂબ જ ભાવનાત્મક અને ખલેલ પહોંચાડનાર છે. વિકી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક બાળક ફિલ્મ જોતી વખતે ખૂબ રડી રહ્યું હતું. બીજી તરફ, ગુજરાતના ભરૂચમાં, ફિલ્મનો ક્લાઈમેક્સ જોયા પછી એક દર્શક ગુસ્સે થઈ ગયો અને તેણે સિનેમા સ્ક્રીન ફાડી નાખી. એકંદરે, 'છાવા' ના ક્લાઇમેક્સની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

આ પણ વાંચો : વિવાદ વચ્ચે અપૂર્વા મખીજાને મોટો ઝટકો, આ લિસ્ટમાંથી કરાઇ દૂર, શૂટ કેન્સલ

ફિલ્મ જોતી વખતે, તમને એક મિનિટ પણ નહીં લાગે કે હજારો મરાઠા સૈન્ય લાખો મુઘલ સૈનિકો સામે ઓછું પડી રહ્યું છે. વાર્તામાં વળાંક આવે છે જ્યારે સંભાજીના દરબારના બે લોકો તેમને દગો આપે છે અને ઔરંગઝેબ સાથે જોડાય છે. આ કપટને કારણે, ઔરંગઝેબના સૈનિકો છત્રપતિ સંભાજી મહારાજને પકડી લે છે અને પોતાની ક્રૂરતા બતાવે છે. સંભાજી મહારાજને સજા આપતી વખતે, મોગલ સૈનિકો તેમને શારીરિક અને માનસિક દુખ આપે છે. તેમની આંખો કાઢી લેવામાં આવે છે, નખ ખેંચી લેવામાં આવે છે અને ઘા પર મીઠું ખોળવામાં આવે છે. આ દ્રશ્યો તમે વાંચતી વખતે પણ દુઃખની અનુભુતી કરી શકો છો. આટલી પીડા બાદ પણ સંભાજી મહારાજ ક્યારેય ઔરંગઝેબ સામે નમતા નથી.

આ પણ વાંચો : વિવાદ વચ્ચે અપૂર્વા મખીજાને મોટો ઝટકો, આ લિસ્ટમાંથી કરાઇ દૂર, શૂટ કેન્સલ

ઔરંગઝેબ ઇચ્છે છે કે સંભાજી મહારાજ તેમની સામે ઘૂંટણિયે પડે. આ કારણે તે ક્રૂરતાની બધી હદો પાર કરી દે છે. તે સંભાજીને રસ્તાની વચ્ચે સાંકળોથી લટકાવી દે છે. આ પછી પણ જ્યારે તેને સફળતા મળતી નથી. ઔરંગઝેબના આ અત્યાચારો ખૂબ જ ચિંતાજનક છે પરંતુ તેમની સૌથી મોટી હાર એ છે કે આટલા અત્યાચારો છતાં, તેઓ સંભાજી મહારાજને ઘૂંટણિયે પડવા માટે દબાણ કરી શકતા નથી. ફિલ્મનો આ દ્રશ્ય દર્શકોની આંખો ભીની કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chhaav Video Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ