લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બિલ પર ચર્ચા દરમિયાન મધ્યપ્રદેશના સતનાથી ભાજપ સાંસદ ગણેશસિંહે આપેલું નિવેેદન ચર્ચાના ચગડોળે ચઢયું છે. સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઘટે છે.
ભાજપ સાંસદે સંસદમાં આપ્યું નિવેદન
નિવેદનમાં તેમણે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાની રીપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો
અમુક ઇસ્લામિક ભાષાઓ સહિત વિશ્વની 97 ટકા ભાષાઓ સંસ્કૃતમાંથી જ નીકળી : ગણેશ સિંહ
કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તેનાથી વધુ સારા પરિણામ મેળવી શકાય : ગણેશ સિંહ
ભાજપ સાંસદ ગણેશ સિંહે ગુરુવારે દાવો કર્યો કે સંસ્કૃત ભાષા બોલાવાથી તંત્ર સક્રિય થાય છે જેની મદદથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. લોકસભામાં નિવેદનમાં તેમણે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાની રીપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તેનાથી વધુ સારા પરિણામ મેળવી શકાય.
સરકાર વર્તમાનમાં ત્રણ ડીમ્ડ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને સંસ્કૃત કેન્દ્રીય વિદ્યાલયમાં પરિવર્તિત કરી સ્થાપના કરશે
ગણેશ સિંહે વધુમાં કહ્યું કે અમુક ઇસ્લામિક ભાષાઓ સહિત વિશ્વની 97 ટકા ભાષાઓ સંસ્કૃતમાંથી જ નીકળી છે. ઉલ્લેખનીય છે સરકાર વર્તમાનમાં ત્રણ ડીમ્ડ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને સંસ્કૃત કેન્દ્રીય વિદ્યાલયમાં પરિવર્તિત કરી સ્થાપના કરશે. કેન્દ્રિય મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે કહ્યું કે સરકાર ભારતની બધી જ ભાષાઓ મજબુત કરવા માંગે છે. પછી ભલે તે તમિલ, કન્નડ કે બંગાળી હોય. મંત્રીએ કહ્યું કે સંસ્કૃત શાસ્ત્ર જ્ઞાનનો ખજાનો છે જેથી સરકાર ઈચ્છે છે કે આવનારી પીઢી આ પુસ્તકોનું અધ્યયન કરે.