ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાને સંબોધતાં એક મોટું નિવેદન કર્યું છે. શી જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ લડવાનો તેમનો કોઇ ઇરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે ચીન કોઇ પણ પ્રકારની કોલ્ડ કે હોટ વોરમાં પડવા માગતું નથી.
ચીની પ્રમુખે કહ્યું હતું કે " તેઓ યુદ્ધ લડવા માંગતા નથી "
ચીન ક્યારેય પોટનો વિસ્તાર વધારવાની કોશિશ નહીં કરે : ચીની પ્રમુખ
ચીન અને ભારતે સરહદે વધુ સૈનિકો ન મોકલવાનો લીધો છે નિર્ણય
ચીનના રાષ્ટ્રપ્રમુખે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાએ કોઈ લડાઇમાં પડવું જોઇએ નહીં અને મોટા દેશોએ મોટા દેશોની જેમ જ કામ કરવું જોઇએ. પૂર્વ લદ્દાખમાં ભારત સાથે મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે શી જિનપિંગે સંયુકત રાષ્ટ્રસંઘની મહાસભાને પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે ચીન કયારેય પણ પોતાના આધિપત્યનો વિસ્તાર કરવા કે પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ નહીં કરે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ચીન પોતાના વિવાદ અને મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવાનું ચાલુ રાખશે.
ચીન બંધ દરવાજા પાછળ પોતાનો વિકાસ નહીં કરે : શી જિનપિંગ
દરમિયાન દુનિયામાં વાઇરસ ફેલાવા માટે ચીન ને જવાબદાર ઠેરવવું જોઇએ એવા ટ્રમ્પના નિવેદન અંગે
એ આડકતરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારો દેશ બંધ દરવાજા પાછળ પોતાનો વિકાસ નહીં કરે.
બીજી બાજુ પૂર્વ લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે અનેક પગલાંની જાહેરાત કરતાં ભારત અને ચીનની સેનાઓએ સરહદો પર વધુ સૈનિકો ન મોકલવાનો નિર્ણય લીધો હતો.
બંને દેશોની સેનાઓએ જાહેર કર્યું જોઇન્ટ સ્ટેટમેન્ટ
ભારત અને ચીન ના સૈન્ય કમાન્ડરો વચ્ચે થયેલી છઠ્ઠા તબક્કાની વાતચીત સંલગ્ન ભારતીય સેના અને ચીની સેનાએ મંગળવારે મોડી સાંજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું અને કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા ( LAC )પર સ્થિતિ સ્થિર કરવાના મુદ્દે બંને પક્ષોએ ઊંડાણપૂર્વક વિચારોનું આદાન પ્રદાન કર્યું અને બંને પક્ષ પોતાના નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સહમતિના ઈમાનદારીપૂર્વક અમલીકરણ પર સહમત થયા હતા.
પૂર્વ લદ્દાખ માં ગતિરોધ ખતમ કરવાના હેતુથી બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે સોમવારે ૧૪ કલાક સુધી બેઠક ચાલી હતી. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજ તથા ખોટા નિર્ણયથી બચવા પર સહમત થવાની સાથે ફોરવર્ડ પોસ્ટ પર વધુ સૈનિક ન મોકલવા અને ગ્રાઉન્ડ સ્થિતિ એકતરફી રીતે ન બદલવા પર સહમત થયા હતા.
કમાન્ડર સ્તરની સાતમી વાતચીત માટે પણ સંમત થયા બંને પક્ષો
ભારત અને ચીન બંને દેશોની સેના સ્થિતિને વધુ જટિલ બનાવે તેવી કોઈ પણ કાર્યવાહીથી બચવા પર સહમત થઈ હતી. આ સાથે જ બંને પક્ષ સમસ્યાઓને યોગ્ય ઢબે ઉકેલવા, સરહદી વિસ્તારોમાં જોઈન્ટ રીતે શાંતિ સુનિશ્ચિત કરવા માટે વ્યવહારિક પગલાં લેવા માટે સહમત થયાં. નિવેદનમાં કહેવાયું કે બંને પક્ષ જેમ બને તેમ જલદી કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીત માટે પણ સહમત થયા.
ભારત અને ચીન બંને દેશોના પ્રતિનિધિમંડળોએ સરહદ પર મે મહિનાની શરૂઆતથી ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે ૧૦ સપ્ટેમ્બરના રોજ પાંચ પોઈન્ટની દ્વિપક્ષીય સમજૂતિના અમલીકરણ પર વિસ્તારથી વિચાર વિમર્શ કર્યો.