વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયા એનર્જી ફોરમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે "ઉર્જા ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ખૂબ જ સુરક્ષિત અને શાનદાર છે"
ઇન્ડિયા એનર્જી ફોરમને વડાપ્રધાને કર્યું સંબોધન
પીએમ મોદીએ કહ્યું, "આપણું ભવિષ્ય સુરક્ષિત અને શાનદાર"
ભારતીય બજારને કોઈ અવગણી શકે નહિ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું, આ એનર્જી ફોર્મનું ચોથું સંસ્કરણ હતું. આ મુદ્દે પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે," ઉર્જા ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને સુરક્ષિત પણ છે."
A self-reliant India will also be a force multiplier for the world economy. Energy security is at the core of our efforts: Prime Minister Narendra Modi https://t.co/GDGiymwNSv
આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે,"ભારત તેના પર ઝડપથી કામ કરી રહ્યું છે. ભારતમાં ઉર્જા વપરાશ આગામી વર્ષોમાં બમણો થશે. તેમણે કહ્યું હતું કે ભારતીય બજારને કોઈ અવગણી શકે નહીં."
વિશ્વની અગ્રણી ઓઈલ અને ગેસ કંપનીઓ સાથે કરી વાતચીત
ઈન્ડિયા એનર્જી ફોરમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન મોદીએ વિશ્વની અગ્રણી ઓઈલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "સ્થાનિક ઉડ્ડયનના સંદર્ભમાં ભારત ત્રીજા ક્રમનું અને સૌથી ઝડપથી વિકસતું વિમાન માર્કેટ છે."
વડા પ્રધાને તેમના સંબોધન દરમિયાન વિશ્વભરના રોકાણકારોને સ્વચ્છ ઉર્જામાં રોકાણ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે સ્વચ્છ ઉર્જાના રોકાણ માટે ભારત વિશ્વમાં શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.