વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જી 20 સમિટને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે અમારું ધ્યાન નાગરિકો અને અર્થતંત્રને રોગચાળાથી બચાવવા પર તેમજ ક્લાઇમેટ ચેન્જ સામેની લડત પર છે. G 20 કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સામે લડાઈ અલગ અલગ નહીં પણ એકીકૃત થઈને લડવી પડશે.
વડાપ્રધાન મોદીએ G 20 સમિટએ કર્યું સંબોધન
વર્ચ્યુઅલી જ યોજાયુ હતું G 20 સંમેલન
ક્લાઇમેટ ચેન્જ અને કોરોનાની પણ થઈ ચર્ચા
પીએમ મોદીએ કહ્યું કે ભારતે લો કાર્બન અને ઇકોફ્રેન્ડલી વિકાસ પ્રક્રિયાઓને અપનાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે LED લાઈટને લોકપ્રિય બનાવી છે, જેનાથી વર્ષે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડ્યું છે. અમે ઉજ્જવલા યોજના દ્વારા 8 કરોડથી વધુ ઘરોને ધૂમાડા મુક્ત રસોડું પ્રદાન કર્યું છે.
It is equally important to keep our focus on fighting climate change. Climate change must be fought not in silos but in an integrated, comprehensive and holistic way: PM Narendra Modi at 15th G20 Summit pic.twitter.com/3hhSjRVwMl
ભારત પેરિસ કરારના લક્ષ્યોને પૂર્ણ કરી રહ્યું છે : વડાપ્રધાન મોદી
પીએમ મોદી એ કહ્યું હતું કે ભારત માત્ર પેરિસ કરારના લક્ષ્યોને જ પૂર્ણ કરી રહ્યું નથી પરંતુ તે આગળ વધી રહ્યું છે. પીએમ મોદી એ કહ્યું કે અમારું લક્ષ્ય 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર બિનઉપયોગી જમીનનો ફરીથી ઉપયોગ કરવાનું છે, અમે પુનર્જીવિત અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
સાથે જ પીએમ મોદી એ કહ્યું કે વિકાસશીલ દેશોને મોટા પાયે ટેકનોલોજી અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે ત્યારે જ આખી દુનિયા ઝડપથી ગતિએ પ્રગતિ કરી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, માનવતાની સમૃદ્ધિ માટે, દરેકની સમૃધ્ધિ કરવી પડશે. મ તેમણે કહ્યું કે આવા વલણથી જ પૃથ્વીનું સંરક્ષણ પ્રદાન થશે.
We aim to restore 26 million hectares degraded land by the year 2030. We are encouraging a circular economy: PM Narendra Modi at 15th G20 Summit https://t.co/TDpKG8Wo5o
પીએમ મોદી એ પહેલા દિવસે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત બે દિવસીય 15 મી જી 20 સમિટમાં પણ ભાગ લીધો હતો. આ સમિટમાં સરકારના વડાઓ અને રાજ્યના વડાઓ, યુરોપિયન યુનિયન, અન્ય આમંત્રિત દેશો અને 19 સભ્ય રાષ્ટ્રોથી સંબંધિત આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભાગ લીધો હતો. કોવિડ -19 રોગચાળા ને પગલે, આ સમિટ ડિજિટલ માધ્યમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.