કર્ણાટક વિધાનસભામાં સોમવરે પણ વિશ્વાસના મત પર ચર્ચાનો દોર જામ્યો છે. આ તમામ બાબત વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામી, સિદ્ધારમૈયા અને અન્ય એક કોંગ્રેસી લીડર વિધાનસભાના સ્પીકરને મળવા પહોંચ્યા છે. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય આજે જ થશે.
જો કે, કોંગ્રેસનું કહેવું છે કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગેના નિર્ણય લીધા પહેલા ફ્લોર ટેસ્ટ કરવામાં ન આવે. સ્પીકરે તમામ સભ્યોને બોલવા માટે 10 મિનિટનો સમય નક્કી કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, તમામ બાબત હું જોઇ રહ્યો છું. મને બલીનો બકરો ન બનાવો. આપણે આપણા નિર્ણય સુધી પહોંચવાનું છે.
ઉલ્લેખનીય છે કે, સ્પીકરની ભાજપના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક પણ થઇ ચૂકી છે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલા જ સ્પીકરે અયોગ્યતાના મુદ્દા પર 15 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ફટકારે છે.
સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચાશે
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી સરકાર સંકટમાં આવી ગઈ હતી. તે સમયે 4 ધારાસભ્યોએ કહ્યું હતું કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચી લેશે અને સરકારને સમર્થન આપશે. આમ શિવકુમારનું આ નિવેદન સરકાર બચાવી શકે છે કે પછી સરકાર પડી જશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ જાણી શકાશે.
સ્પીકરની બળવાખોર ધારાસભ્યોને ચીમકી
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે ગઠબંધન સરકારને બહુમત સાબિત કરવા માટે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. તેમનું કહેવું છે કે, તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે. વિધાનસભા સ્પીકરે એ વાત પણ જણાવી કે 16 બળવાખોર ધારાસભ્ય જો સદનમાં ન પહોંચે તે તેમને ગેરહાજર માનવામાં આવશે.
#Karnataka Speaker KR Ramesh Kumar to Congress-JD(S) MLAs who are raising slogans, 'Save the Constitution' in Vidhana Soudha, Bengaluru: I am ready to sit till 12 am. Why are you doing like this? This is not right. pic.twitter.com/LCf8oD6n0V
જો કે, ભારે ઉથલપાથલ બાદ પણ હજી સુધી કોઇ નિર્ણય આવી શક્યો નથી. જો કે, વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમાર કહ્યું કે ફ્લોર ટેસ્ટ થયાં બાદ જ સદનની કાર્યવાહી ભંગ કરવામાં આવશે.
કુમારસ્વામીની જગ્યાએ અન્ય કોઇને બનાવાઇ શકે છે CM
આ પહેલા કર્નાટકના સંકટમોચન તરીકે જાણીતા બનેલા મંત્રી ડીકે શિવકુમારે ગઠબંધન સરકારને બચાવવા માટે છેલ્લો દાવ ચલાવ્યો છે. બળવાખોર ધારાસભ્યોને રાજી કરવા માટે મુખ્યમંત્રી કુમારસ્વામીના સ્થાન પર કોઇ અન્યને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.