શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિને ભગવાન શંકર દરેક કોઇની ઇચ્છા પૂર્ણ કરે છે. આ મહિનામાં શિવના રૂદ્રાભિષેકનું પણ ખૂબ જ મહત્વ છે. અભિષેક કર્યા પછી બીલીપત્ર, શમીપત્ર વગેરે શિવજીને પ્રસન્ન કરવામાં આવે છે
જ્યારે તમે પણ મંદિર જાવ છો ત્યારે શિવજીની સામે નંદી જી ને બેસાડેલા હોય છે. શિવજીના દર્શન કરીને જ્યારે તમે બહાર નિકળો છો ત્યારે નંદીના કાનમાં તમારી ઇચ્છા કહો છો, તમે જેટલી વખત જાવ છો એટલી વખત આવું કરતા હોવ છો પરંતુ શું તમે જાણો છો કે શિવની સામે નંદીને બિરાજમાન કરવાનું કારણ શું છે? ક્યારેય એવો વિચાર આવ્યો છે કે નંદીના કાનમાં આખરે શા માટે ઇચ્છા કહેવામાં આવે છે.
એક જ્યોતિષાચાર્યના અનુસાર કોઇ પણ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે તો તે નંદીના કાનમાં પોતાની મનોકામના ચોક્કસ કહે છે, તેની પાછળ માન્યતા એ છે કે ભગવાન શિવ એક તપસ્વી છે અને હંમેશા સમાધિમાં રહે છે. એવામાં ભોળાનાથ સુધી પોતાના મનની વાત પહોંચી શકતી નથી. આવી સ્થિતિમાં નંદી જ આપણી ઇચ્છા શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના આધારે લોકો નંદીના કાનમાં પોતાની ઇચ્છા કહે છે.
ભગવાન શિવ નંદીના તપથી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું. આવી રીતે નંદી નંદેશ્વર થઇ ગયા. પછી સુયશા નામની કન્યા સાથે તેના લગ્ન થયા. ભગવાન શંકરે નંદીએ વરદાન આપ્યું કે જ્યા તેનો નિવાસ હોય, ત્યાં જ નદી પણ નિવાસ કરશે. ત્યારથી ભગવાન શિવની સામે મંદિરમાં નંદીની સ્થાપના કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ શિવની કૃપાના પાત્ર બની જશે તેઓ દરેક ખરાબ પરિસ્થિતિ દૂર ઉત્તમ લોકને પ્રાપ્ત કરશે. નંદીને ભગવાન શિવના દૂક માનવામાં આવે છે. નંદી ભગવાન ખુશ થશે ત્યારે જ તમારી વાત ભોળાનાથ સુધી પહોંચશે. શાસ્ત્રોમાં પણ એ વાત કહેવામાં આવી છે કે ભગવાન શિવે નંદી મહારાજને વરદાન આપ્યું હતું કે જે પણ વ્યક્તિ તારા કાનમાં પોતાની ઇચ્છા જણાવશે તેને હું ચોક્કશ સાંભળીશ. બસ ત્યારથી લઇને આ એક પરંપરા ચાલતી આવી રહી છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવ પૂજાની સાથે સાથે નંદીના કાનમાં પોતાની મનોકામનવો કહેતા લોકો જોવા મળે છે.