વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ફરીવાર વિશ્વને એવી ચેતવણી આપી છે જેના કારણે ઘણા બધા લોકો સ્તબ્ધ રહી જશે
એલન મસ્કના દાવાના કારણે વિશ્વ આખામાં ચકચાર
અબજોપતિ મસ્કે કહ્યું બ્રહ્માંડમાં થશે એવું કે દરેક વસ્તુ થઈ જશે તબાહ
મારી કંપની એક જ દિવસમાં 1000 સ્પેસશીપને પૃથ્વીમાંથી રવાના કરી દેશે
અંતરિક્ષમાં એવી શક્તિ જે દરેક ચીજ વસ્તુને તબાહ કરી દેશે : એલન મસ્ક
ધરતી પર સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે એવો દાવો કર્યો છે કે વિશ્વના ઘણા લોકો હેરાન થઈ ગયા. તેમણે કહ્યું કે બ્રહ્માંડમાં એવું થવા જઈ રહ્યું છે કે જે દરેક ચીજ વસ્તુને તબાહ કરી દેશે. સાથે સાથે તેમણે આશા વ્યક્ત કરી કે તેમની કંપની એક જ દિવસમાં એક હજાર સ્પેસ શીપને પૃથ્વીમાંથી રવાના કરશે જેમાં દરેક 100 100 માણસ જશે. આ લોકોને મંગળ ગ્રહ પર વસ્તી વસાવવાના ઈરાદા સાથે મોકલવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા પણ તેમણે એક યોજના બનાવી હતી કે વર્ષ 2050 સુધીમાં અંતરિક્ષમાં દસ લાખ લોકો રહેવા લાગશે જોકે બાદમાં તેમણે કહ્યું કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓ આવી રહી છે. જ્યારે એલન મસ્કને પૂછવામાં આવ્યું કે એક સમય એવો આવશે કે કોઈ પણ સ્પેસશીપ આવી નહીં શકે. તો શું મંગળ ગ્રહ પર રહેતા લોકો મરી જશે? તેમણે જવાબ આપ્યો કે તેનો અર્થ થાય છે કે આપણે સુરક્ષિત સ્થાન પર નથી.
આખરે કેમ આવા નિવેદનો આપી રહ્યા છે મસ્ક?
નોંધનીય છે કે એલન મસ્ક ધ ગ્રેટ ફિલ્ટર સિદ્ધાંતના આધારે આ નિવેદનો આપી રહ્યા છે, આ સિદ્ધાંત પ્રોફેસર રોબિન હેન્સને આપ્યો હતો અને કહ્યું હતું કે અંતરિક્ષમાં કઇંક એવું છે જે આખા અંતરિક્ષમાં જીવનનો વિસ્તાર થાય તે પહેલા જ જીવનને તબાહ કરી દેશે. નોંધનીય છે કે રોબિન હેન્સને વર્ષ 2014માં જ કહ્યું હતું કે આ અંતરિક્ષ અતિ વિસ્તૃત છે અને તે અંધારા, ઠંડક, ખાલીપણાથી ભરાયેલી છે.
શું છે આ સિદ્ધાંત?
રોબિન હેન્સને કહ્યું હતું કે જો તમે એલિયન્સને જુઓ તો તમે તેનાથી ડરી શકો છો કારણ કે તમને તે વિચારીને ભય લાગે છે કે તે તમારા સાથે કેવો વ્યવહાર કરશે. પરંતુ તમારે વધારે ડરવું જોઈએ જ્યારે એલિયન ન દેખાય. આ સિદ્ધાંતના આધારે રોબિન હેન્સને કહ્યું હતું કે અંતરિક્ષમાં કઈંક એવું છે કે દરેક ચીજ વસ્તુને તબાહ કરી દેશે અને આપણે તેના શિકાર થઈ શકીએ છે.
મંગળ ગ્રહ પર માનવ વસ્તી કેવી હશે?
નોંધનીય છે કે મસ્કનો પ્લાન છે કે ત્રીજા વિશ્વયુદ્ધ પહેલા મંગળ ગ્રહ પર માનવ વસ્તીને વસાવી લેવામાં આવે. તેમણે કહ્યું કે મંગળ ગ્રહ પર જે શહેર વસાવવામાં આવશે તેમાં બધુ જ ઓટોમેટિક જ હશે. મસ્ક વર્ષ 2026 પહેલા મંગળ પર માનવને ઉતારી દેવા માંગે છે અને સામે નાસાએ વર્ષ 2033માં મંગળ પર માનવને મોકલવાની યોજના બનાવી છે. તેમણે એમ પણ ચેતવણી આપી હતી કે જો માનવ મંગળ પર ન ગયો તો માનવ સભ્યતા પર જ સંકટ આવી જશે.