લખનૌઃ લોકસબા ચૂંટણી 2019માં ભાજપને હરાવવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. સપા-બસપા વચ્ચે બેઠકોને લઇને સહમતિ બની ગઇ છે. ક્ષેત્રમાં બસપાને સપાથી વધુ બેઠકો મળી છે. બસપાના ખાતામાં 38 બેઠકો ગઇ છે તો સપાને 37 બેઠકો મળી છે. બન્ને પાર્ટીઓ કઇ કઇ બેઠકો પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે.
જો કે બન્ને પાર્ટીઓએ બાગપત મથુરા અને મુઝફ્ફરનગરમાં બેઠકો છોડી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે ત્રણેય બેઠકો આરએલડીના ખાતામાં ગઇ છે.
સપા-બસપાએ ગુરૂવારે બેઠકોની જાહેરાત કરી દીધી છે. પશ્વિમ યૂપીની વધારે પડતી બેઠકો પર જ્યાં બસપા ચૂંટણી મેદાનમાં ઉતરશે. ત્યારે રૂહેલખંડ અને મૈનપુરી કન્નૌજ આસપારની બેઠકો સપાના ખાતામાં ગઇ છે. જો કે બન્ને પાર્ટીઓને દરેક બોર્ડની બેઠકો મળી છે.
ક્ષેત્રની 80 લોકસભા બેઠકોમાં અનુસૂચિત જાતિના સુરક્ષિત 17 બેઠકોમાંથી 7 બેઠકો પર સપા ચૂંટણી લડશે તો 10 પર બસપા ચૂંટણી લડશે.
જણાવી દઇએ સપા અને બસપાએ ક્ષેત્રના 80 લોકસભા બેઠકોમાંથી 38-38 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. પરંતુ અખિલેશ યાદવે પોતાના કોટાની એક બેઠક આરએલડીને આપી દીધી છે.
આ પ્રકારે આરએલડીને ત્રણ બેઠકો મળી છે. જ્યારે રાયબરેલી અને અમેઠી બે બેઠકો પર કોંગ્રેસ વિરૂદ્ધ ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો છે.