અમદાવાદ મનપા અને ભૂમાફિયાઓએ મળીને જાણે અમદાવાદનું ટાઉનપ્લાનીંગ નક્કી કર્યુ હોય તેવો ઘાટ ઘડાયો છે. પહેલા રીંગ રોડ પછી SP રીંગ રોડ અને પછી તેની બહારનો વિસ્તાર અમદાવાદની સરહદમાં સમાવી લેવામાં આવશે. પહેલા જમીન ખરીદી લેવી પછી સ્કીમ પાડવી અને પછી તેને મનપામાં સમાવી લેવી. કેવી સરળ રીત અને જાહેર જનતા એમ સમજીને આનંદે કે અમદાવાદ વિસ્તરી રહ્યુ છે. પણ અમદાવાદ વિસ્તરી નથી રહ્યુ ધરાર વિસ્તારાઈ રહ્યુ છે.
અમદાવાદનો વિસ્તાર 11 વર્ષ બાદ ફરી વધી રહ્યો છે. AMCમાં નવા વિસ્તારોનો સમાવાશ કરવામાં આવશે. અમદાવાદ મનપાની સરહદનો વિસ્તાર એ ભૂમાફિયા, બિલ્ડર્સ અને મનપાની મિલિભગત છે. પહેલા ખેડૂતો પાસેથી સસ્તાભાવે જમીન ખરીદી લેવામાં આવે છે એ પછી ત્યાં રહેણાંકની સ્કીમ પાડવામાં આવે છે. નવા નવા વિસ્તાર તૈયાર કરવમાં આવે છે અને પછી ધીરે રહીને પાછલા બારણે અમદાવાદની સરહતને વિસ્તારવામાં આવે છે. તંત્ર જમીન માફિયાઓેને દિવાળી બોનસ આપવા જઈ રહ્યુ છે અને એ પણ પ્રજાનું કલ્યાણ કરવાના આચળા હેઠળ.
અગાઉ ક્યારે સમાવાયા હતા નવા વિસ્તારો
2008 માં મનપાની હદમાં નવા વિસ્તારો સમાવાયા હતા. અમદાવાતને વિસ્તારવાનું કાવતરૂ પહેલી નજરે સમજાય તેવું નથી. પરંતુ ગણિત સાવ સહેલુ છે. અમદાવાદમાં SP રિંગ રોડ સુધી પહેલા બિલ્ડર્સે જમીન ખરીદી. પછી નવા નવા વિસ્તાર વસાવ્યા.
અમદાવાદને નવા મકાનોની જરૂર છે ખરી?
અમદાવાદમાં મુંબઈ જેટલી વસતી નથી. અમદાવાદમાં રહેવાનો એટલો પ્રોબ્લેમ જ નથી. 11 માળની રહેણાંની ઈમારત અમદાવાદમાં સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે હવે 20 કે 24 માળ સુધીની ગગનચુંબી ઈમારતો બાંધવાની ખેવના સેવાઈ રહી છે જે ખરેખર પ્રજાની જરૂરિયા જ નથી. એક તરફ ગુજરાતનું દેવુ આકાશને આંબી રહ્યુ છે બીજી તરફ વિકાસને નામે પ્રજાને જ ખંખેરાઈ રહી છે. સાવ સામાન્ય વાત પ્રજા સુધી એવા સરસ પેકેજમાં પહોંચે છે કે સામાન્ય લોકો સમજીજ નથી શકતા કે તમારા જ ખીસ્સાના પૈસે સરકાર ચાંદ બતાવી રહી છે એ પણ નકલી એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.
કયા કયા વિસ્તારનો થશે સમાવેશ
બોપલ, ઘૂમા વિસ્તાર હાલ ઔડાની હદમાં આવે છે પણ ટુંક જ સમયમાં બોપલ, ઘૂમા ગામને AMCમાં સમાવાશે જ્યારે શેલા, રાંચરડા, છારોડીને AMCમાં સમાવિષ્ટ કરવામાં આવશે. તો વળી આસલાલી, સહિત SP રિંગ રોડ અંદરના વિસ્તારોને AMCની સરહદમાં સમાવી લેવામાં આવશે.
ચૂંટણી પૂર્વે અમદાવાદની સરહદ વધારાશે.
મનપાની સામાન્ય ચૂંટણી પહેલા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. દિવાળી પછી કોઈ પણ સમયે જાહેરનામુ બહાર પાડવમાં આવશે જેમાં ખરેખરો લાભ તો જાહેર જનતાને નહીં પરંતુ ભૂમાફિયાને થઈ રહ્યો છે.