સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવને લખનઉની લોહિયા ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. મુલાયમસિંહને હાઈ શુગરની સમસ્યા થતા તેઓ ચેક અપ માટે હોસ્પિટલ ગયા હતા ત્યારે તેઓને ફરજ પરના તબીબોએ ભરતી થવા માટે સલાહ આપી.
Lucknow: SP leader Mulayam Singh Yadav was admitted to Ram Manohar Lohia Institute of Medical Sciences due to high levels of blood sugar, today. All his reports are normal. (File pic) pic.twitter.com/z0Hg2lpbTO
ત્યારબાદ મુલાયમસિંહને ત્યાં સારવાર આપવામાં આવી અને હાલ તેઓની તબિયત સ્થિર હોવાના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ હાઈપર ટેન્શન અને હાઈપર ડાયાબીટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં તેમનુ ચેક અપ કરવામાં આવ્યું ત્યારે તપાસમાં બ્લડ શુગર હાઈ જોવા મળ્યું. જેથી તેઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા, પણ હાત તેમની તબિયત સુધાર પર છે.