દેશના પ્રધાનમંત્રીને મળને જ્યાં લોકો ખુશ થઇ જાય છે ત્યાં ફેમસ સિંગર એસપી બાલાસુબ્રમણ્યમે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત પથી પોતાની સાથે થયેલા વર્તાવમાં લઇને નિરાશ થયા છે.
અલગ-અલગ પ્રકારના સ્ટાર્સને લઇને કરવામાં આવેલા ભેદભાવ પછી તેઓ દુખી છે. પોતાના વિચારો હંમેશા દુનિયા સામે રાખનાર ફેમસ બાલાસુબ્રમણ્યમે કહ્યુ, ''જે રીતે વર્તાવ અમારી સાથે થયો તે નિરાશાજનક હતો.''
પ્રધાનમંત્રી નિવાસ પર બાલાસુબ્રમણ્યમેની સાથે જે રીતે વ્યવહાર થયો તેના વિશે તેમણે ફેસબુક પર પોસ્ટ લખીને પોતાના વિચારો વ્યક્ત કર્યા પોતાની પોસ્ટમાં તેમણે કહ્યુ કે, ''રામોજી રાવજી, હું તમારો આભારી છું, કારણ કે તમારા કારણે જ હું તે રિસેપ્શનનો હિસ્સો બની શક્યો, જેને પીએમ મોદીએ 29 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે હોસ્ટ કર્યું હતું.’'
વધુમાં તેમણે કહ્યું હતું, ''તે જગ્યાએ સુરક્ષાકર્મીઓએ અમારા સેલફોન લઈ લીધા હતાં અને અમને ટોકન આપવામાં આવ્યા હતાં પરંતુ સ્ટાર્સની પીએમ મોદી સાથેની સેલ્ફી જોઈને મને ઘણી જ નવાઈ લાગી. આ એવી વસ્તુઓ હતી, જેને જોઈને તમે કહો કે HMMM?????''
નોંધનીય છે કે, ગયા મહિને ઓક્ટોબરમાં પીએમ મોદીએ પોતાના નિવાસ સ્થાને મહાત્મા ગાંધીના વિચારોને પ્રમોટ કરવા માટે ‘ચેન્જ વીથ-ઈન’ નામની ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, આમિર ખાન, રાજકુમાર હિરાણી, જેક્લીન ફર્નાન્ડિઝ, કપિલ શર્મા, એકતા કપૂર, રકુલ પ્રીત સિંહ, કંગના રનૌત સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.