સોયાબીનના ભાવમાં છેલ્લા 20 દિવસમાં એક ક્વિન્ટલે 500 થી 700 રૂપિયાનો ભાવ ઘટાડો થતા ખેડૂતો ની સાથે વેપારીઓ પણ પરેશાન થઇ ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિ મળતા રોવાનો વારો આવ્યો છે.
છેલ્લા 20 દિવસમાં એક ક્વિન્ટલ પાછળ 500 થી 700 રૂપિયાનો થયો ઘટાડો
વેપારીઓ પાસે પણ સોયાબીનનો મોટા પ્રમાણમાં થયો ભરાવો
ખેડૂતો પોષણક્ષમ ભાવ મળે તેવી કરી રહ્યા છે માંગ
મોડાસા માર્કેટમાં હાલ રોજની 50 બોરી થઇ રહી છે આવક
અરવલ્લી જિલ્લામાં ગત ખરીફ સિઝન દરમિયાન 14000 હેકટર જમીનમાં સોયાબિનનું વાવેતર કરાયું હતું.ત્યારે વાવેતર બાદ તૈયાર થયેલો સોયાબિનનો પાક વેચવા ખેડૂતો હાલ મોડાસા માર્કેટમાં આવી રહ્યા છે હાલ માર્કેટ માં રોજની 50 કવીંટલ સોયાબિનની આવક થઈ રહી છે ત્યારે હાલ માત્ર 20 દિવસમાં સોયાબીનના ભાવમાં એક કવીંટલ પાછળ 500 રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે.
20 દિવસ અગાઉ સોયાબીન નો ભાવ પ્રતિ 20 કિલોના 750 થી 800 હતા તે ઘટી હાલ 700 થિ 750 થઈ ગયા છે જેના કારણે ખેડૂતોને પ્રતિ કવીંટલે 500 થી ૭૦૦ રૂપિયાનું નુકશાન જઈ રહ્યું છે મોંઘભાવે બિયારણ વાવ્યા બાદ વધુ વરસાદે ખેડૂતોને રોવડાવ્યા હતા અને બાકી બચેલા પાકમાં ભાવ ઘટી જતાં હાલ ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે.
સોયાબીનમાં ભાવ ઘટતા હાલ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે
ખેડૂતોની સાથે વેપારીઓ પણ પરેશાન થઇ ગયા છે સોયાબીનમાં સતત ઘટી રહેલા ભાવે વેપારીઓની પણ ચિંતા વધારી છે ઊંચા ભાવે સોયાબીન ની મોટા પ્રમાણમાં ખરીદી કર્યા બાદ ભાવ ઘટતા વેપારીઓને પણ એક ગાડી પાછળ 60 થી 70 હજારનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
માલની ખપત ઓછી થતા હાલ ભાવમાં ઘટાડો નોધાયો છે
સમગ્ર મામલે મોડાસા માર્કેટ યાર્ડના નાયબ સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની 50 બોરી સોયાબીનની આવક ચાલુ થઇ છે આજે સોયાબીનના 750 રૂપિયા ભાવ પડ્યા છે પણ છેલ્લા 20 દિવસમાં સોયાબીનના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો આવતા ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતોને હાલ નુકશાન જઈ રહ્યું છે.