સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યએ છૂટાછેડા લઇ લીધા છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સની ખબરો મીડિયામાં છવાયેલી હતી.
સામંથા અને નાગા ચૈતન્ય થયા અલગ
સામંથાએ ઇન્સ્ટા પર કર્યુ એલાન
4 વર્ષ બાદ કપલ થયું અલગ
સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર કર્યુ એલાન
સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રાં પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું કે, ખુબ વિચાર્યા બાદ મે અને ચૈતન્યએ પતિ-પત્ની તરીકેના રસ્તાં અલગ કરી દીધા છે. અમે બહુ ખુશકિસ્મત છીએ કે છેલ્લા 10 વર્ષથી મિત્રો છીએ અને અમારો દોસ્તીનો સંબંધ હંમેશા ખાસ રહેશે.
ટ્વિટર પરથી હટાવી સરનેમ
સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટા પર તેણે આજ નામ રાખ્યુ હતુ પરંતુ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ પહેલા તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી. જેથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંને વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.
અલગ રહેતું હતું કપલ
રિપોર્ટનું જો માનીએ તો સામંથા અને નાગા ચૈતન્ય એકબીજા સાથે વાત નથી કરતા અને અલગ રહે છે. જ્યારથી સરનેમ હટાવી છે ત્યારથી લોકો વચ્ચે કપલ ચર્ચાનો વિષય રહ્યું છે.
સામંથાએ શું આપ્યો જવાબ
એક ઇન્ટરવ્યૂંમાં જ્યારે સામંથાને આ પૂછવામાં આવ્યું ત્યારે સામંથાએ કહ્યું કે, હું આ વસ્તુઓ પર રિએક્ટ કરવા માગતી ની. મને કોન્ટ્રોવર્સી પસંદ નથી. જે રીતે બાકી લોકોને પોતાનો ઓપીનીયન રાખવાનો અધિકાર છે મને પણ તે હક છે.
સસરાની બર્થ ડે પાર્ટીમાં ગેરહાજર
29 ઓગસ્ટે સામંથા પોતાના સસરા નાગાર્જુનના બર્થ ડે પર સોશ્યલ મીડિયા પર તેને વિશ કર્યુ હતુ પરંતુ તેની પાર્ટીમાં હાજર નહોતી, જેના કારણે લોકોનું ધ્યાન ખેંચાયું હતુ.