લોકડાઉનના કારણે ડૉક્ટરી અને એન્જિનિયરિંગ વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષાઓ જેવી કે NEET/JEE લઇ શકાઈ નથી તો આ વર્ષે MBBS અને એન્જિનિયરિંગ વિદ્યા શાખાઓમાં પ્રવેશ માટે સરકારે અનેક નવા વિકલ્પ ઉભા કરવા પડશે. એટલું જ નહીં જો EXAM લેવાનું નક્કી કરાય છે તો તમામ રાજ્યોની સરકારે મંજૂરી લેવી પડશે. જેથી તમામ રાજ્યોના વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપી શકે. આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વની હોવાથી સરકારે આ પરીક્ષાઓ પર વિચાર કરીને વિદેશોની જેમ કેટલાક રસ્તાઓ શોધવા પડશે.
વર્ગખંડની ભીડ બનશે ભૂતકાળ
ઓનલાઈન ટીચિંગનો વધશે મહિમા
કોરોનામાં દ.કોરિયાએ શોધ્યો રસ્તો
અત્યારે દેશમાં લેવાતી મહત્વની પરીક્ષાઓમાં NEET અને JEEની પરીક્ષા મહત્વની ગણાય છે. આ પરીક્ષા એક જ દિવસે એક સમયે આખા દેશમાં લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લઈને પરીક્ષાઓમાં અનેક સમસ્યા આવશે. તેવા સમયે સરકાર ક્યાં વિકલ્પ વિચારી શકે છે તે જોવાનું રહ્યું. શિક્ષણવિદ્ માને છે કે આ પરીક્ષાઓ કોરોના પત્યા પહેલા લેવી શક્ય નથી અને જો લેવી હશે તો પણ સેન્ટરની સંખ્યા 10 ઘણી કરવી પડશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે.
કોરોનાની હાલ જે તીવ્ર અસર છે તે જોતાં હમણાં એકાદ બે મહિના દરમિયાન શમે તેમ લાગતી નથી. કોરોનાની મહામારીએ આપણી વર્તમાન વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડી જ છે. સાથે સાથે આપણા ભવિષ્યના આયોજનો પર અનિશ્ચિતા ઊભી કરી દીધી છે. નોકરી, જીવનશૈલીથી માંડીને ભાવિ શૈક્ષણિક આયોજનો અદ્ધરતાલ કરાવી દીધા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે જૂનના અંત સુધી વર્ગખંડમાં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની અભ્યાસ શૈલી અને પરીક્ષા પદ્ધતિમાં કેવા આવી શકે છે ફેરફાર?
આ સંજોગોમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવો પડે તેવા સંજોગો સર્જાયા છે. આ માટે ઓનલાઈન સામગ્રી તૈયાર કરવાની પણ ફરજ પડી શકે છે.
બદલવી પડશે શિક્ષણ વ્યવસ્થા?
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેવી સ્થિતિ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની પણ થઈ છે. કોરોના વાયરસના કારણે આખા દેશમાં NEET અને JEE પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. HRD મંત્રાલયે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન ઊભી થાય તે માટ હાલ પૂરતી મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી NEET અને JEE મુખ્ય પરીક્ષા મુલતવી રાખી છે.
9 લાખ જેટલા ઉમેદવારો JEEની પરીક્ષા આપવાના હતા
આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાંથી 15 લાખથી વધારે ઉમેદવારો NEETની પરીક્ષા માટે અરજી કરી હતી. જેમાંથી 9 લાખ જેટલા ઉમેદવારો JEEની પરીક્ષા આપવાના હતા. પરંતુ હવે કોરોના સંકટ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન વચ્ચે પરીક્ષા મુલતવી રહી છે. ત્યારે આ પરીક્ષાના ભવિષ્યને લઈને કેવા સંકેત જોવા મળી રહ્યા છે જોઈએ અમારા પ્રતિનિધિનો આ રિપોર્ટ
કોરોના સંકટ વચ્ચે દ.કોરિયાએ કાઢ્યો રસ્તો
કોરોનાના સંકટ વચ્ચે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા અટકી પડી છે. પરંતુ વિદેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પરીક્ષાઓ યોજાઈ રહી છે. સાઉથ કોરિયામાં કોવીડ-19ના ચેપથી બચવા ખુલ્લા મેદાનમાં પરીક્ષા યોજાઈ રહી છે. જનરલ ઈન્શ્યોરન્સ ઓફ કોરિયાએ તેના ઉમેદવારો માટે ક્વોલિફિકેશ એક્ઝામ સ્કૂલ કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજી હતી. આ પહેલા પરીક્ષા આયોજકોએ કોવિડ-19ના સંક્રમણ વચ્ચે પરીક્ષા મુલતવી રાખી હતી. પરંતુ આવા સંકટ વચ્ચે પણ જે લોકોએ પરીક્ષા માટે સખત મહેનત કરીને છે તે એળે ન જાય તે માટે સાઉથ કોરિયામાં ખુલ્લામાં જ પરીક્ષા યોજાઈ હતી. ત્યારે બધા દેશો આ વ્યવસ્થાના રસ્તે જશે.
પરીક્ષા પહેલા અને પછી બેન્ચિસને સેનેટાઈઝ કરવામાં આવે છે. કદાચ શક્ય છે કે દક્ષિણ કોરિયાની જેમ આપણા દેશમાં પણ આગામી દિવસોમાં આ રીતે પરીક્ષાઓનું આયોજન કરવું પડશે. કેમ કે, આપણા દેશમાં પણ JEE અને NEETના વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.
કોરોના સંકટ એ કોઈ ટૂંકા ગાળાનું સંકટ નથી. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી કોરોના સંકટ આપણા પર તીવ્ર કે હળવી રીતે ઝળુંબતું રહેવાનું છે. આ સંકટ વચ્ચે ટકવાના અને જીવવાના રસ્તા માનવજાતે જ શોધવાના છે. શૈક્ષણિક પરીક્ષાની જેમ કોરોનાની પરીક્ષામાંથી પણ માનવજાતે પસાર થવાનું છે. પણ એ વાત નક્કી છે કે જીત તો માનવજાતની થવાની છે.