તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને કેન્દ્ર તરફ ઈશારો કરતા કહ્યું કે, જે લોકો આવી સૂચનાઓ આપશે તેઓ દેશના દક્ષિણ ભાગમાંથી ગાયબ થઈ જશે
દક્ષિણ ભારતનું રાજકારણ હાલમાં દહીંના નામે ગરમાયું
FSSAI દક્ષિણ ભારતમાં સહકારી સંસ્થાઓને દહીંના પેકેટ પર દહીં લખવા કહ્યું
દહીંને કન્નડ ભાષામાં મોસારુ અને તમિલમાં તૈયર કહેવાય
તમિલનાડુએ FSSAIની આ સૂચનાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
દક્ષિણ ભારતનું રાજકારણ હાલમાં દહીંના નામે ગરમાયું છે. વાત જાણે એમ છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) જે સમગ્ર દેશમાં ખાદ્ય સુરક્ષા પર નજર રાખે છે તેની સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના આદેશે દક્ષિણના રાજકારણમાં સંવેદનશીલ મુદ્દો ગણાતા ભાષાના વિવાદને ફરીથી વેગ આપ્યો છે.
FSSAIએ દક્ષિણ ભારતમાં દહીં બનાવતી સહકારી સંસ્થાઓને દહીંના પેકેટ પર માત્ર દહીં લખવાનું કહ્યું છે. આ સૂચના પર તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન નારાજ થઈ ગયા છે. તેમણે તેને હિન્દી લાદવાનું ગણાવ્યું અને કેન્દ્ર તરફ ઈશારો કરતા કહ્યું કે, જે લોકો આવી સૂચનાઓ આપશે તેઓ દેશના દક્ષિણ ભાગમાંથી ગાયબ થઈ જશે.
મહત્વનું છે કે, વાસ્તવમાં દહીંને કન્નડ ભાષામાં મોસારુ અને તમિલમાં તૈયર કહેવાય છે. આ બંને રાજ્યોમાં આજે પણ દહીંના નાના કપ પર એક જ નામ લખવામાં આવે છે. પરંતુ FSSAIએ તેના તાજેતરના આદેશમાં કહ્યું છે કે, આ રાજ્યોના દૂધ સંઘોએ હવે દહીંના કપ પર માત્ર દહીં લખવું જોઈએ. FSSAI નિર્દેશ કરે છે કે. દહીંની સાથે બ્રિકેટમાં દહીંનું સ્થાનિક નામ લખી શકાય.
કેમ ભડક્યા તમિલનાડુના સીએમ ?
FSSAIની આ સૂચના પર ઘણીવાર ભાષા વિવાદને વેગ આપનારા તમિલનાડુના CM એમકે સ્ટાલિને આકરી પ્રતિક્રિયા આપી છે. સ્ટાલિને કહ્યું છે કે 'હિન્દી લાદવાનો નિર્લજ્જ આગ્રહ એ હદ સુધી પહોંચ્યો છે કે, રાજ્યોમાં તમિલ અને કન્નડ ભાષાને અવગણીને અમને દહીંના પેકેટ પર પણ હિન્દીમાં લેબલ લગાવવા હ્યું છે. સ્ટાલિને વધુમાં કહ્યું છે કે, આપણી માતૃભાષાઓની આવી બેશરમ અવગણના એ સુનિશ્ચિત કરશે કે જવાબદારોને દક્ષિણમાંથી હંમેશ માટે દેશનિકાલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, તમને જણાવી દઈએ કે દક્ષિણના રાજ્યોમાં ભાષાને લઈને ઘણી સંવેદનશીલતા જોવા મળી રહી છે અને ત્યાંની પાર્ટીઓ સ્થાનિક ભાષાઓને લઈને ખૂબ જ આગ્રહી રહી છે. તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ અવારનવાર આંદોલન થાય છે. દહીં સંબંધિત આ વિવાદ એક અખબારમાં છપાયો કે તરત જ ડીએમકેએ આ મુદ્દો ઉઠાવી લીધો. અહેવાલ મુજબ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં દૂધ ઉત્પાદક સંગઠનો દ્વારા દહીંના પાઉચ પર સ્થાનિક નામોનો ઉપયોગ કરવાની તાજેતરની માગણી બાદ દહીંના લેબલિંગ પર FSSAIની સ્પષ્ટતા આવી છે. FSSAI દ્વારા તમિલનાડુ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશનને કહેવામાં આવ્યું છે કે, બ્રિકેટ્સમાં તમિલ શબ્દો માટે "TAIR" અથવા "TAYIR" નો ઉપયોગ કરી શકાય છે.
FSSAI ની સૂચનાઓનું પાલન કરવા ઇનકાર
તમિલનાડુએ FSSAIની આ સૂચનાને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તમિલનાડુના ડેરી મંત્રીએ કહ્યું છે કે, FSSAI નિર્દેશ રાજ્યમાં લાગુ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે દહીંના કપ પર પહેલાની જેમ જ ભવિષ્યમાં પણ લખવામાં આવશે.
ભાજપે પણ આપ્યું આ વાતને સમર્થન
તમિલનાડુમાં ભાષાનો મુદ્દો કેટલો સંવેદનશીલ છે, તે એ વાત પરથી સમજી શકાય છે કે, તમિલનાડુ ભાજપે પણ આ મુદ્દે સીએમ સ્ટાલિનનું સમર્થન કર્યું છે. તમિલનાડુ બીજેપી પ્રમુખ કે અન્નામલાઈએ FSSAIના અધ્યક્ષ રાજેશ ભૂષણને પત્ર લખીને આ સૂચના પાછી ખેંચવાની માંગ કરી છે.
The notification released by FSSAI for the use of “Dhahi” in curd sachets produced by state-run cooperative societies is not in tandem with the policy of our Hon PM Thiru @narendramodi avl to promote regional languages.
શું કહ્યું BJP પ્રમુખ કે અન્નામલાઈએ ?
તમિલનાડુ બીજેપી પ્રમુખ કે અન્નામલાઈએ કહ્યું છે કે, FSSAIની આ સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ સાથે સુસંગત નથી જ્યાં તેઓ હંમેશા સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. કે અન્નામલાઈએ આ સૂચના પાછી ખેંચવાની માંગ કરી છે. અન્નામલાઈએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ અનેક મંચો પર તમિલ ભાષા અને સાહિત્યની સમૃદ્ધ પરંપરાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિમાં પણ બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે. આ અર્થમાં FSSAIની આ સૂચના પીએમ મોદીની ભાવનાઓ અનુસાર નથી અને તેને પાછી ખેંચી લેવી જોઈએ.