દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની આવક બે ગણી થવાની જગ્યાએ અડધી થઈ ગઈ, 500 ગામના જગતનો તાત સુવરના ત્રાસ ત્રાહિમામ
દક્ષિણમાં ખેડૂતો પરેશાન
500 ગામમાં સુવરનો ત્રાસ
સુવરના ત્રાસે હજારો ખેડૂતો પરેશાન
અન્ન અને જળ વિના જીવન અશક્ય છે.. અને આપણા માટે જે અન્નપૈદા કરે છે.. આજે તે જ અન્નદાતા ત્રાહિમામ પોકારી ગયો છે.. વાત 500 ગામડાના ખેડૂતોની છે.. જેઓ હવે જંગલી સુવરના ત્રાસથી પરેશાન થઈ ચૂક્યા છે.. એ સુવર જેનાથી સિંહ, દિપડા અને વાઘ જેવા પ્રાણીઓ પણ દૂર રહેવાનું પસંદ કરે છે... તેમાં પણ હવે શેરડીનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતના લોકો ખેતી જ છોડવાનું વિચારી રહ્યા છે..જંગલી સુવરનો ત્રાસ ન માત્ર દક્ષિણ ગુજરાત પુરતો જ છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં છે. અને ખેડૂતો આ ત્રાસને દૂર કરવા માટે અનેક કાયદેસર અને ગેરકાયદે પ્રયાસો પણ કરે છે છતાં તેમાં સફળતા નથી મળતી તે મોટો સવાલ છે.
દક્ષિણ ગુજરાતમાં દરેક ખેડૂતને લાખોની નુકસાની
વીટીવી ન્યૂઝની ટીમ કંટારા, રાજનગર, અને પરિયા ગામની મુલાકાત પછી. ગોલા ગામે પહોંચ્યું. તો અહીં શેરડીની સાથે-સાથે ડાંગરની રોપણી કરીલા ખેતરોમાં પણ જંગલી સુવરોનો ત્રાસ જોવા મળ્યો. ખેડૂતોએ હજૂ તો ડાંગરની રોપણી કરી જ છે. ત્યાં સુવરોએ ખેતરને ખુંદી નાખ્યું છે. અહીં ખેડૂતોએ ડાંગરના ખેતરની ફરતે નેટ લગાવી છે. તાર બાંધેલા છે. છતાં રાત્રી દરમિયાન ત્રાટકેલા સુવરના ટોળાએ આખા ખેતરને ખુંદી નાખ્યું છે. જેના કારણે પાક ફેઈલ ગયો છે. ખાસ વાત તો એ છે કે, બિચારા ખેડૂતો જંગલી સુવરથી પાકને બચાવવા જે હજારો રૂપિયાના ખર્ચા કરીને ઝટકા મશીન અને સોલાર લાઈટ લગાવે છે. તે પણ ચોર ટોળકીઓ ચોરી જાય છે.
સુવરનો ત્રાસ. મોંઘોમુલો પાક બર્બાદ
ગોલા ગામતી અમે જ્યારે મોરથાણ ગામે પહોંચ્યા તો અહીં પણ ખેડૂતોની હાલત તો બદથી બત્તર જ હતી. કારણ કે, મોટા ભાગના ખેડૂતો ડાંગર, શાકભાજી સાથે જોડાયેલા છે. અને જંગલી સુવરો અળસીયા માટે વેલાવાળા શાકભાજીને મુળમાંથી ઉખાળી ફેંકે છે. જેના કારણે વેલા સુકાઈ જાય છે. બીજી તરફ શેરડીના ખેતરમાં એટલા પ્રમાણમાં સુવરોએ નુકસાની કરી છે કે, ખેડૂતોને શેરડી ઘાસચારામાં આપી દીવે પડી છે.
1 વીઘા દીઠ 20 થી 25 હજારની નુકસાની
શું કરવું. શું ન કરવું. હવે ખેડૂતોને કોઈ ઉપાય નથી દેખાતો. બીજી તરફ વીજ કરંટ પણ ખેડૂતો નથી મુકી શક્તા. કારણ કે, એવું કરે તો વન વિભાગ પરેશાન કરે છે. તેવામાં અમે અમે ખેડૂતોની વેદના સાંભળવા ડાંગરના ખેતર સુધી પણ પહોંચ્યા. નથી નવ વિભાગ સાંભળતું. કે નથી સરકાર સાંભળતી. છતાં ખેડૂતો કોઈ રાહત મળે. અથવા તો જંગલી સુવરોનો ત્રાસ ઘટે તે માટે પગલા ભરાય તેવી આશા સેવીને બેઠા છે. કારણ કે, તેમની પાસે હવે આ જંગલી ભૂડનો ત્રાસ અટકાવવા માટે કોઈ રસ્તો નથી. કંટારા ગોલા રાજનગર વરિયાવ મોરથાણ દક્ષિણ ગુજરાતમાં ખેતી અંગે જો વાત કરવામાં આવે તો. અહીં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજીનું વાવેતર થાય છે. અને આ તમામ પ્રકારના પાકને જંગલી સુવરો નુકસાની પહોંચાડી રહ્યા છે. હાલમાં જ વરસાદ થતાં ડાંગરનું વાવેતર થયું છે. પરંતુ ગોલા ગામના ખેતરના આ હાલ જુઓ સુવરોએ, પરિણામમાં 1 વીઘા દીઠ 20 થી 25 હજારની નુકસાની સહન કરવાનો ખેડૂતોને વારો આવ્યો છે.
સુરત જિલ્લાના 500 ગામમાં તકલીફ, શેરડી અને ડાગરમાં વીઘા દીઠ 10-12 ટનની નુકસાની
ચૌર્યાસી, ઓલપાડ, પલસાણા, કામરેજ, ચાર તાલુકામાં સૌથી વધું ખેડૂતો પરેશાન શેરડી, શાકભાજી, ડાંગર ના મુખ્ય ત્રણ પાકો લેવામાં આવે જે. જેમાં વ્યાપક નુકસાન છે. 25 -50ના ટોળામાં ભૂંડનું ટોળું આવે એટલે 1 થી 2 વિઘા જમીનમાં નુકસાની કરે. 10- 12 ટનની નુકસાની કરે. શાકભાજીના વેલાના મુળ ખોદીના નાખે એટલે આખો પાક જ પતી જાય. 4 -5 પાંચ ખેડૂતો એ બગાડના કારણે આખું ખેતર ઘાસચારામાં આવી દીધું. મોરથાણ ગામના ખેડૂતો છે. ઓલપાડ. તાલુકાના ખેડૂતો છે. દક્ષિણ ગુજરાતમાં જ દર વર્ષે દરેક સિઝનમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.
ચોર ટોળકીઓ ઝટકા મશિન ઉપાડી જાય છે
ખેડૂતો બચવા માટે શું કરે છે. તારની વાડ મુકીને ઝટકા મશિન મુકે છે. ઝટકા મશિન બેટરી ચાલે છે. પરંતુ ચોર ટોળકીઓ તેને પણ ચોરી જાય છે. ઈલેક્ટ્રીક કરંટ ન મુકી શકે. ભૂંડના ત્રાસને અટકાવવા માટે સરકારમાં કોઈ યોજના નથી. તારની વોલ વાળી સ્કીમ છે. પરંતુ નાના ખેડૂતોને તેનો લાભ નથી મળતો. ખેડૂતોની પીડા નજર સામે દેખાઈ છે. નુકસાની પણ નજર સામે દેખાઈ છે. ત્યારે સવાલ એવો થતો હશે કે, શું આ જંગલી સુવરના ત્રાસને અટકાવી ન શકાય. ?
શું જંગલી સુવરોની વસ્તી પર આવી શકે નિયંત્રણ?
ઘણા બધા લોકો એવું માનતા હશે કે સુવર એટલે કે, આપણે ત્યાં ગટરોમાં રખડતાં ભૂંડ. તો તમારું વિચારવું અહીં ખોટું છે. આ ગટરોમાં રખડતા ભૂંડ નથી. પરંતુ જંગલી સુવર છે. જે સિંહ, દિપડા અને વાઘ જેવા પ્રાણીઓને પણ હંફાવે છે. અને માનવી જો તેની ઝપેટમાં આવી ગયો તો મારી નાખે છે. કારણ કે, સુવર ની દાતરડી ભાલા જેવી તીવ્ર હોય છે. તેવામાં પાક નુકસાની કરતા આ સુવરને ભગાડવાં ખુબ મુશ્કેલ છે. જોકે સુવરને ભગાડવાના કેટલા ઉપાયો પર નજર કરીએ તો. પાકની ફરતે લોખંડનો તાર બાંધીને ઝટકા શોક મુકી શકાય છે. જેથી કરીને સુવર તારને અડે એટલે તેને કરંટનો ઝટકો લાગે અને તે ત્યાંથી ભાગે. બીજો ઉપાય છે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવી. આ વાડના કારણે જંગલી સુવર ખેતરમાં પ્રવેશતા અટકે છે. દેશી ઉપાયમાં ગાયનું છાણ અને ખાટી છાસનું મિશ્રણ કરી ખેતરની ફરતે છંટકાવ કરવાથી પણ જંગલી સુવરનો ત્રાસ ઓછો કરી શકાય છે. આ સિવાય સરકારે ફેન્સિંગ યોજના બનાવી છે જેનાથી સુવર અને નિલગાયનો ત્રાસ ઘટાડી શકાય છે. પરંતુ ફરજિયાત 25 એકર વિસ્તારમાં ફેન્સિંગ કરવું પડે આથી નાના ખેડૂતો તેનો લાભ લઈ શક્તા નથી. જોકે ફેન્સિંગ યોજનાનો બધા ખેડૂતો લાભ નથી લઈ શક્તા. અને ઝટકા શોક વાળા ઉપાયમાં ચોરો મશીનો નથી રહેવા દેતા,. આમ અનેક પડકારો ખેડૂતો સામે છે. ત્યારે આશા રાખીએ કે, વન વિભાગ જંગલી સુવરની વધતી વસ્તી અને ત્રાસને અટકાવવા માટે કોઈંક પગલા ભરે. જેથી કરીને દર વર્ષે ગુજરાતના ખેડૂતોને આ નુકસાની ભોગવવી ન પડે.