જાપાનમાં કોરોના વાયરસના સંક્રમણને વધતા રોકવા માટે પ્રધાનમંત્રી શિંઝો આબેએ દેશમાં ઈમરજન્સીનું એલાન કર્યુ છે. ટોક્યો અને બીજા શહેરના વિસ્તારમાં પહેલાથી લાગુ કરવામાં આવેલી ઈમરજન્સીનો એરિયા વધારીને સમગ્ર દેશમાં તેને લાગુ કરી દેવામાં આવી છે. જાપાનમાં 6 મે સુધી ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગી કરાઈ
12 કરોડ આબાદીને 1-1 લાખની રોકડ સહાય
કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરુ કર્યુ
ગુરુવારે પીએમ શિંજો આબેએ ઈમરજન્સીની જાહેરાત કરતા કહ્યું છે કે ઈમરજન્સી લાગુ કરવાનું કારણ લોકોની અવર જવરને રોકવાનો તતા 80 ટકા સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવવાનો છે. સાથે જ આબેએ દેશમાં 12 કરોડ આબાદીને 1-1 લાખ રોકડ આપવાની જાહેરાત પણ કરી છે.
આબેએ 7 એપ્રિલ સુધી ઈમરજન્સીની જાહેરાત કરી હતી. જે ટોક્યો તથા અન્ય 6 જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો હતો. જ્યાં સંક્રમણ ફેલાવાનો સૌથી વધારે ખતરો હતો. તેમણે લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. પરંતુ મહામારીમાં સુધાર ન જણાતા તેમણે સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી છે.
અહીં અત્યાર સુધીમાં 8626 લોકો કોરોનાગ્રસ્ત છે જ્યારે 178 લોકોના મોત નિપજ્યા છે. 700 લોકોમાં એ લોકોનો પણ સમાવેશ થયો હતો જે પ્રિન્સેસ ડાયમંડ ક્રુઝમાં સવાર હતા.
જાપાનમાં વુદ્ધોની સંખ્યા વધારે છે. તેમજ રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અહીં 4 લાખ લોકોના મોત થઈ શકે છે. હાલમાં સરકાર જેમાં લક્ષણો દેખાય છે માત્ર તેમની જ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવાની તૈયારીને લઈને જાપાનના પીએમ આબેના પ્રયાસોની ટીકા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બહુ સુસ્ત અને ધીમી ગતિએ કામગીરી કરી રહી છે. નોંધનીય છે કે અહીં આર્થિક ગતિવિધીઓ સુચારુ રુપે ચાલુ રહેશે. કોરોનાના ડરના કારણે વર્ક ફ્રોમ હોમ શરુ કરી દેવામાં આવ્યું છે.