બ્રિટન, દક્ષિણ આફ્રીકા બાદ હવે જાપાનમાં કોરોના વાયરસ એક નવા મ્યૂટેંટ સ્ટ્રેન મળ્યો છે. બ્રાઝિલથી પાછા ફરેલા 4 લોકોમાં આ જોવા મળ્યો છે. આ લોકો થોડાક દિવસ પહેલા બ્રાઝિલના એમેજોન સ્ટેટથી ટોક્સો પાછા ફર્યા હતા. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યાર સુધી જોવા નથી મળ્યો. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન બ્રિટનમાં મળેલા સ્ટ્રેનની જેમ ઘણો વધારે સંક્રમક છે.
પીએમ સુગાએ ઈમરજન્સીની જાહેરાત કરી
જાપાને લંડન જેવા જ નવા પ્રકારની ઓળખ કરી
અત્યાર સુધીમાં 3900 લોકોના મોત થઈ ચૂક્યા છે.
જાપાને લંડન જેવા જ નવા પ્રકારની ઓળખ કરી
જાપાનની રાષ્ટ્રીય સંક્રામક રોગ સંસ્થાન(એનઆઈઆઈડી)એ કહ્યું કે અધિકારીઓએ બ્રાઝિલથી આવનારા 4 પ્રવાસીઓમાં કોરોના વાયરસનું લંડન જેવા જ નવા પ્રકારની ઓળખ કરી છે. આ નવા સંક્રમણમાં લંડન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળનારામાં ઘણી સમાનતા છે. એનઆઈઆઈડીએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે આ નવા સંક્રમણની જાણકારી જેનેટિક મેક અપ સુધી સીમિત છે અને તે તાત્કાલીક નિર્ધારિત કરવું મુશ્કેલ છે કે આ નવો પ્રકાર કેટલો સંક્રમક છે અથવા વર્તમાન રસીથી અસરગ્રસ્ત થનારો છે કે કેમ.
આ લોકો બ્રાઝિલથી જાપાનના હનેદા એરપોર્ટ પર ઉતર્યા હતા
નિક્કઈ એશિયાની રિપોર્ટ મુજબ આ સંક્રમિત પ્રવાસી 2 જાન્યુઆરીએ બ્રાઝિલથી જાપાનના હનેદા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ લોકોમાં મહિલાઓ અને પુરુષો બન્ને સામિલ છે. આ તમામ લોકો આ એરપોર્ટ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને હવે રિજલ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં 3 લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો. તેમને શ્વાંસ લેવામાં તકલીફ, તાવ અને ગળામાં સમસ્યા જોવા મળી હતી.
આ નવા પ્રકાર ક્યાંક ખતરનાક તો નથી ને?
જાપાનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે એક અલગ નિવેદનમાં કહ્યું કે બ્રાઝિલથી જાપાનમાં હનેડા હવાઈ અડ્ડા પર 2 જાન્યુઆરીએ ઉતરેલા 4 પ્રવાસીઓમાં નવા પ્રકાર જોવા મળ્યા છે. આ બાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. એનઆઈઆઈડીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને નવા સ્ટ્રેનની જાણકારી આપી છે. મંત્રાલયનું કહેવું છે કે સંસ્થાન આ વાતની તપાસ કરી રહી છે કે આ નવા પ્રકાર ક્યાંક ખતરનાક તો નથી ને?
અત્યાર સુધીમાં 3900 લોકોના મોત થઈ ચૂક્યા છે
જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર જાપાનમા મળેલા કોરોનાનો આ નવો સ્ટ્રેન હજું વિકસિત થઈ રહ્યો છે અને આના કારણે તે કેટલો સંક્રમક છે તે જાણી શકાયું નથી. અત્યાર સુધીએ જાણી શકાયું નથી કે દુનિયામાં જે રસી અપાઈ રહી છે તે આ નવા સ્ટ્રેનની વિરુદ્ધ કારગત છે કે નહીં. જાપાનમાં હાલમાં 7 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 3900 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પીએમ સુગાએ ઈમરજન્સીની જાહેરાત કરી
જાપાને તેજીથી ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે ઈમરજન્સી જાહેર કરી છે. આ ઈમરજન્સી શુકવ્રારથી લાગૂ થઈ છે જે 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમિયાન લોકોને સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. મોટા પાયે સ્વાસ્થ્ય અધિકારી અને પોલીસકર્મી લોકોની તપાસ પણ કરશે.