અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રભુત્વ જમાવ્યાં બાદ ભારત સહિત મોટાભાગના દેશોએ અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. અત્યાર સુધી સેંકડો લોકોને ભારત સરકાર અફઘાનમાંથી કાઢીને સ્વદેશ પરત લાવી છે.
અફઘાની હિંદુ અને શિખ છોડી રહ્યાં છે ભારતની ફ્લાઈટો
ભારત સરકારની મુશ્કેલી વધે તેવી સ્થિતિ
અફઘાની હિંદુ-શિખો અમેરિકા અને કેનેડા જવા ઈચ્છે છે
70 થી 80 અફઘાની હિન્દુઓ અમેરિકા-કેનેડા જવા ઈચ્છે છે
અફઘાનિસ્તાનમાંથી જે લોકો ભારત પરત આવ્યાં છે. આ સ્થિતિમાં કેટલાંક એવા લોકો છે, જે કાબુલમાં ફસાયેલા છે અને ભારત પાછા આવવા માંગતા નથી. જેની સંખ્યા 70 થી 80ની વચ્ચે બતાવવામાં આવી રહી છે. ખરેખર, અફઘાનિસ્તાનમાં શિખ અને હિન્દુઓ અમેરિકા અને કેનેડા આવવા ઈચ્છે છે. જેના માટે તેઓ ભારતમાંથી મોકલવામાં આવેલી ફ્લાઈટો છોડી રહ્યાં છે. આ સ્થિતિમાં ભારત સરકારની મુશ્કેલી વધવાની છે. એક રિપોર્ટ મુજબ, હાલમાં ભારતમાંથી મોકલાયેલી ઘણી ફ્લાઈટો પરત ફરી છે.
અફઘાની હિન્દુઓ છોડી રહ્યાં છે ભારતની ફ્લાઈટ
ભારતીય વિશ્વ મંચના અધ્યક્ષ પુનીત સિંહ ચંધોકે એક ન્યૂઝ પેપરને માહિતી આપતા જણાવ્યું કે, અફઘાનિસ્તાનના ગુરૂદ્વારા કર્તે પરવાનમાં ઉપસ્થિત 70 થી 80 અફઘાન શિખ અને હિન્દુ ભારત પાછા આવવા માંગતા નથી. તેઓ અમેરિકા અને કેનેડા જવા ઈચ્છે છે. ચંધોકે કહ્યું કે, આ લોકો ફક્ત ફ્લાઈટ છોડી રહ્યાં નથી. પરંતુ નાગરિકોને બહાર જવાની પ્રક્રિયામાં વિક્ષેપ નાખી રહ્યાં છે.
શિખ સંગઠનોએ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરી
પુનીત સિંહે કહ્યું, આ લોકોએ અમેરિકા અને કેનેડા જવાના ચક્કરમાં બે વખત પોતાની ફ્લાઈટ છોડી દીધી છે. ભારત સરકાર આ લોકોને વીઆઈપી સુવિધા પ્રદાન કરી રહ્યું છે ત્યારે પણ તેઓ ફ્લાઈટ છોડી રહ્યાં છે. સુત્રો મુજબ, શિખ સંગઠનોએ પણ અફઘાન શિખ અને હિન્દુઓને બહાર કાઢવા માટે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરી છે. જેમાંથી 100 લોકો કાબુલ એરપોર્ટ બહાર આવ્યાં. પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. ગુરૂદ્વારામાં હાલના શિખ નેતા તરવિન્દર સિંહે એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશમાં તેઓ કહી રહ્યાં છે કે તેમને ભારત આવવુ નથી. તેમને અમેરિકા અને કેનેડા જવુ છે.