તાલિબાનને કહ્યું કે વિદ્રોહિઓએ પોતાના લોહિથી આની કિંમત ચૂકવવી પડશે.
તાલિબાન નોર્ધન અલાયન્સના નેતા અહમદ મસૂદને ધમકી આપી
વિદ્રોહિઓએ પોતાના લોહિથી આની કિંમત ચૂકવવી પડશે- તાલિબાની
ગોળીબારમાં નોર્ધન એલાયન્સ પણ 2 યોદ્ધા માર્યા ગયા
વિદ્રોહિઓએ પોતાના લોહિથી આની કિંમત ચૂકવવી પડશે- તાલિબાની
અફઘાનિસ્તાનમાં તાલિબાન પંજશીર પર કબ્જો કરી શક્યા નથી. ત્યારે થોડાક દિવસ પહેલા પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સની વચ્ચે સીજફાયરને લઈને સહમતિ બની હતી. પરંતુ હવે ફરીથી ત્યાં જંગ શરુ થઈ ગઈ છે. સોમવારે રાતથી રોકાઈ રોકાઈને તાલિબાન અને નોર્ધન અલાયન્સમાં જંગ થઈ રહી છે. તાજા હુમલામાં તાલિબાનના 8થી વધારે લડાકો માર્યા ગયા છે. પોતાના લડાકોને માર્યા જવાથી તાલિબાન બેબાકળુ થયું છે. તેમણે નોર્ધન અલાયન્સના નેતા અહમદ મસૂદને ધમકી આપી છે. તાલિબાનને કહ્યું કે વિદ્રોહિઓએ પોતાના લોહિથી આની કિંમત ચૂકવવી પડશે.
ગોળીબારમાં નોર્ધન એલાયન્સ પણ 2 યોદ્ધા માર્યા ગયા
નોર્ધન એલાયન્સ મુજબ ગોળીબારમાં તેમના પણ 2 યોદ્ધા માર્યા ગયા. બીજી તરફ દાયકુંદી પ્રાંતના ખદીર જિલ્લામાં તાલિબાને હજારા સમુદાયના 14 લોકોની હત્યા કરી છે. પંજશીર ઘાટી એક માત્ર વિસ્તાર છે જ્યાં તાલિબાનનો કબ્જો નથી. પંજશીર ઘાટીના અહમદ મસૂદેના સૈનિકો તાલિબાનને ઘૂળ ચટાવવાની તૈયારી કરી લીધી છે. આ લડાકુઓની ટ્રેનિંગનું કામ સતત જારી છે. પંજશીર ઘાટી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 150 કિમી દુર છે અને અહીં એક લાખ લોકો રહેશે.
તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિયોની વચ્ચે સીજફાયર
ગત અઠવાડિયે તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિયોની વચ્ચે સીજફાયર માટે પરવાન પ્રાંતની રાજધાની ચારિકરમાં વાતચીત થઈ હતી. આ દરમિયાન બે જૂથ એક બીજા પર હુમલો નહીં કરવા પર સહમત થયા. તાલિબાન તરફથી વાતચીતની આગેવાની મૌલાના અમીર ખાન મુક્તઈએ કરી. આ વાતચીતમાં તાલિબાને અમન જિરગા નામ આપ્યું હતુ.