આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન કાબૂલ મોક્લવાનું હતું ભારત
- કાબુલ એરપોર્ટથી કોમર્શિયલ ફ્લાઇટોની ઉડાન પર રોક
- એરપોર્ટ પરની વર્તમાન સ્થિતીને ધ્યાને રાખી નિર્ણય
- આજે દિલ્લીથી કાબુલ જવાનું હતુ એર ઇન્ડિયાનું વિમાન
- અફઘાન એરસ્પેસ બંધ થતા ફ્લાઇટ ઓપરેટ નહીં થઇ શકે
ભારત અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલશે.
કાબૂલ એરપોર્ટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કાબૂલ એરપોર્ટ પર તાલિબાની વિમાનોએ બે એવી મહિલાઓને ગોળી મારી દીધી જેમણે હિજાબ નહોંતો પહેર્યો. તેના જવાબમાં અમેરિકન સૈનિકોએ જવાબી ફાયરિંગ કર્યુ. જેનાથી એરપોર્ટ પર ભાગદોડ મચી હતી.
Govt has told Air India to put two aircraft on standby for emergency evacuations from Kabul. Air India has prepared a set crew for emergency operations from Kabul to New Delhi: Govt Sources pic.twitter.com/b8TFQfojbg
તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઇએ- બ્રિટન
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાનીસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈઘતા છે. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે બ્રિટન શુક્રવારે નાટો બેઠકના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે સહયોગિઓની સાથે કામ કરી રહ્યું છે. કોઈ પણ તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઇએ.
આ દરમિયાન સમાચાર મળ્યા છે કે તાલિબાને લોકોને 17 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધી ઘરે રહેવા કહ્યું છે. કાબૂલ એરપોર્ટથી કર્મશિયલ ફ્લાઈટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર સૈન્ય વિમાનોને ઉડાનની પરવાનગી છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યુ કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈધતા છે.