તાલિબાને કહ્યું અમેરિકાએ ડોક્ટર, એન્જિનિયરો અને ભણેલા ગણેલા એલિટ ક્લાસને પોતાના દેશમાં લઈ જવા પ્રોત્સાહિત ન કરવા જોઈએ.
તાલિબાની પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી
અફઘાનિસ્તાનના લાયક લોકોને ન લઈ જાય-તાલિબાન
તાલિબાને સંયુક્ત રાષ્ટ્રના પરિસરો પર કબ્જો કર્યો
તાલિબાની પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી
અફઘાનિસ્તાન છોડતા લોકોને જોઈ તાલિબાન પરેશાન છે. તાલિબાની પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. મુઝાહિદે એક વાર ફરી અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે અફઘાનિસ્તાનના લાયક લોકોને ન લઈ જાય. મુઝાહિદે ચેતવણી આપી છે કે અમેરિકા અને નાટોની સેના 31 ઓગસ્ટ સુધી કોઈ પણ સ્થિતિમાં અફઘાનિસ્તાન છોડીને જતા રહે. અમે કોઈ સમય વધારવાના પક્ષમાં નથી. આ દરમિયાન અમેરિકન રક્ષા મંત્રાલય પેન્ટાગને કહ્યું છે કે 31 ઓગસ્ટની ડેડલાઈનમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. અમને વિશ્વાસ છે કે અમે આ મહિનાના અંત સુધી આને પુરુ કરી દઈશું.
અફઘાનિસ્તાનના લાયક લોકોને ન લઈ જાય-તાલિબાન
તાલિબાનના પ્રવક્તા મુઝાહિદે કહ્યું કે અમેરિકાએ ડોક્ટર, એન્જિનિયરો અને ભણેલા ગણેલા એલિટ ક્લાસને પોતાના દેશમાં લઈ જવા પ્રોત્સાહિત ન કરવા જોઈએ. તેમણે કહ્યું કે એરપોર્ટ પર અફરાતફરીના માહોલના કારણે અફઘાનિસ્તાનના નાગરિકોને એરપોર્ટ નથી જવા દેવામાં આવી રહ્યા. તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને કહ્યું છે કે તે દેશ ન છોડે. મુઝાહિદે કહ્યુ કે મહિલાઓએ હાલ પોતાની સુરક્ષાને કારણે ઘરમાં જ રહેવું જોઈએ. તાલિબાન મહિલાઓ પર કામ કરવા પર સ્થાયી પ્રતિબંધ નહીં લગાવે.
તાલિબાને સંયુક્ત રાષ્ટ્રના પરિસરો પર કબ્જો કર્યો
તાલિબાને કાબુલ સ્થિત સંયુક્ત રાષ્ટ્રના પરિસરો પર કબ્જો કરી લીધો છે. તાલિબાનીયોએ અહીં ઓફિસની છાનબીન કરી અને તોડફોડ પણ કરી છે. અહીં આવવા જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સંયુક્ત રાષ્ટ્રની એક આંતરિક રિપોર્ટના હવાલાથી આ સમાચાર આપ્યા છે.
વર્લ્ડ બેંકે લીધા એક્શન
અફઘાનિસ્તાનની સ્થિતિ જોતા વિશ્વ બેંકે અફઘાનિસ્તાનને સહાય આપવાથી ઈન્કાર કરી દીધો છે. બેંકની વેબસાઈટ મુજબ વર્ષ 2002થી અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને 5.3 અરબ ડોલરની મદદ અપાઈ છે. પણ હવે સ્થિતિ પહેલા જેવી નથી.