દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં ભારતનો કારમો પરાજય થયો હતો. ત્યાર બાદ સ્પિનર keshav maharaj એ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે 'જય શ્રી રામ' લખતા ચાહકો ખુશ થઈ ગયા હતા.
IND vs SA વનડે સિરીઝમાં સાઉથ આફ્રિકાએ મેળવી યાદગાર જીત
કેશવ મહારાજે તસ્વીરો પોસ્ટ કરતાં લખ્યું જય શ્રી રામ!
કેશવ મહારાજના ભારતીય મૂળ
IND vs SA
સાઉથ આફ્રિકાની ટીમ માટે સાલ 2022નું આગમન ઘણું શાનદાર રહ્યું છે. પહેલા ડીન એગ્લરની આગેવાનીમાં આફ્રિકાની ટીમે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ 2-1 થી કબજો કર્યો. ત્યાર બાદ ત્રણ મેચોની ODI સીરિઝમાં ટેમ્બા બાવુમાની ટીમે ભારતને ધોઈ નાખ્યું.
કેશવ મહારાજની ઈંસ્ટાગ્રામ પોસ્ટ
યાદગાર જીત મેળવ્યા બાદ સાઉથ આફ્રિકી ટીમ જશનમાં ડૂબેલ છે. ટીમના ડાબા હાથના સ્પિનર કેશવ મહારાજે ઈંસ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી જીતની ખુશી જાહેર કરી છે. પોસ્ટના અંતમાં તેમણે જય શ્રી રામ પણ લખ્યું, જેણે ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું છે. સાથે જ, મહારાજે સાઉથ આફ્રિકી ટીમની તસ્વીરો પણ શેયર કરેલ છે.
મહારાજે લખ્યું છે કે અમારા માટે આ અત્યંત શાનદાર સીરીઝ રહી. હું આનાથી વધારે આ ટીમ પર ગર્વ નહીં કરી શકું તથા અમે કેટલે દૂર સુધી પહોંચ્યા છીએ. હવે ફરી તૈયાર થઈ જવા તથા આગળની ચૂનોતીઓને સ્વીકાર કરવાનો સમય છે. 'જય શ્રી રામ'
કેશવ મહારાજનું વનડે સીરિઝમાં પ્રદર્શન
કેશવ મહારાજનું વનડે સીરીઝમાં ઘણું પ્રભાવશાળી પ્રદર્શન રહ્યું. તેમણે આ સિરીઝના ત્રણેય મુકાબલાઓમાં 1-1 વિકેટ લીધી. પહેલા વનડેમાં તેમણે શિખર ધવનને પવેલિયન મોકલ્યા હતા, જેના બાદ ટીમ ઇન્ડિયાની પારી ડગી ગઈ હતી. ત્યારે જ બીજા બે મુકાબલાઓમાં તેમણે ઈન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યા હતા.
કેશવ મહારાજના ભારતીય મૂળ
કેશવ મહારાજના પૂર્વજ ભારતીય રાજ્ય ઉત્તરપ્રદેશના સુલ્તાનપુર સાથે સંકળાયેલ હતા. કેશવના પિતા આત્માનંદ મહારાજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પૂર્વજ 1874ની આસપાસ સુલ્તાનપુરથી ડરબન આવી ચૂક્યા હતા. તે સમયે ભારતીય લોકો ખુશહાલ જીવન જીવવા માટે કામની શોધમાં સાઉથ આફ્રિકા જએવા દેશો તરફ વળતાં હતા.