ઓમિક્રોનથી આખી દુનીયા ટેન્શનમાં છે. ભારતમાં પણ કેસ વધ્યા છે અને ગુજરાત એમાં ત્રીજા ક્રમે આવી ગયું છે પણ જ્યાંથી તેની શરૂઆત થઈ હતી ત્યાંથી એક સારા સમાચાર આવ્યા છે.
ઓમિક્રોન વિશે એક સારા સમાચાર
દક્ષિણ આફ્રિકામાં ઓમીક્રોન નિયંત્રણમાં
કેસ સંખ્યામાં ધરખમ ઘટાડો
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન વિશે એક સારા સમાચાર છે. એક્ તરફ જોઈએ તો ઓમિક્રોનથી આખી દુનિયા ચિંતિત છે, પરંતુ હવે આને લગતા સૌથી મોટા સમાચાર દક્ષિણ આફ્રિકાથી આવી રહ્યા છે.
જ્યાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકામાં હવે ઓમીક્રોનની પિક પસાર થઈ ગઈ હોય એવું જણાય છે . ત્યાંની સરકારે ધીમેધીમે લોકોને રાહત આપવાનું શરૂ કરી દીધું છે. હવે નાઇટ કર્ફ્યુ દૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનની પીક હવે સાઉથ આફ્રિકામાં પસાર થઈ ગયો છે જેને લઈને હવે થોડું હળવાશનું વાતાવરણ છે.
નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો
દક્ષિણ આફ્રિકાની સરકાર અનુસાર, દેશે ઓમિક્રોનના મોજા પર કાબુ મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુઆંકમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. આ પછી જ, ત્યાંની સરકારે તાત્કાલિક અસરથી નાઇટ કર્ફ્યુ હટાવી લીધો છે અને અન્ય નિયંત્રણો પણ હટાવવાનું શરૂ કર્યું છે.
કેસ સંખ્યા અડધી થઈ
ઑક્સફર્ડ યુનિવર્સિટીના ડેટા અનુસાર, દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બરના મધ્ય સુધીમાં, અહીં દરરોજ સરેરાશ 23 હજારથી વધુ કેસ સંક્રમણની ટોચ પર પહોંચી ગયા હતા. અહીં કોરોનાના 95 ટકા સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ રહી હતી.
પણ હવે ઘટીને એક દિવસમાં સરેરાશ 11,500 કેસ નોંધાઈ રહ્યા છે. ડેટા દર્શાવે છે કે એક કે બે પ્રાંત સિવાયના તમામ પ્રાંતોમાં સંક્રમણનો દર ઘટ્યો છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
સ્થિતિ સુધરી રહી છે
નવેમ્બરના પહેલા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ કરવામાં આવી હતી. એક રીતે જોઈએ તો દક્ષિણ આફ્રિકાએ જ સૌથી પહેલા દુનિયાને ઓમીક્રોનનો પરિચય કરાવ્યો હતો. ત્યાર પછી સમગ્ર વિશ્વમાં આ વેરિઅન્ટ વિશે ચર્ચા શરૂ થઈ હતી.
સ્પ્રેડ થવાનો રેટ 70 ગણો
નવા વેરિઅન્ટને લઈને સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ હતું કારણ કે આ વેરિઅન્ટના ફેલાવાનો દર ડેલ્ટા કરતા 70 ગણો વધુ છે. પરંતુ હવે દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ સુધરી રહી છે. મળતી માહિતી અનુસાર, 25 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં નવા કેસોની સંખ્યામાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. હવે એમ કહી શકાય કે દક્ષિણ આફ્રિકાએ લગભગ 50 દિવસમાં ઓમિક્રોન પર કાબુ મેળવ્યો છે.
ઓમિક્રોન પર કેવી રીતે મેળવ્યો વિજય
જો કે દક્ષિણ આફ્રિકાએ ઓમિક્રોનને આટલી સરળતાથી નિયંત્રિત કરી નથી દીધો, પરંતુ ત્યાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સાથે જ જાહેર સભાઓ પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. રાત્રે 11 વાગ્યા પછી દારૂની દુકાનો ખોલવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ સાથે દક્ષિણ આફ્રિકાએ વેકસીનેશન પર ભાર મૂક્યો, જેથી લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે અનેસંક્રમણ અટકાવી શકે. આવા પગલાં લઈને સાઉથ આફ્રિકાએ ઓમિક્રોનને પરાસ્ત કર્યો હતો.
ઓમિક્રોન પર તબીબી નિષ્ણાતના અભિપ્રાયો
ભારત વિશે વાત કરતા એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ઘણી રાહતની વાત કહી છે. AIIMSના ડિરેક્ટરનું કહેવું છે કે ઓમિક્રોન ખતરનાક નથી અને તેની હાજરીમાં ઓક્સિજન સપોર્ટની જરૂર નહીં પડે. જો કે, નિષ્ણાતો માને છે કે ઓમિક્રોન ફેફસાં પર નહીં પરંતુ આપણા શ્વસન માર્ગને અસર કરે છે અને આપણા શરીરના એન્ટિબોડીઝ તેને નબળા પાડે છે.