સૌરવ ગાંગુલીએ ભાજપમા સામેલ થઈને રાજકીય કારકીર્દીનો આરંભ કરી શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપે તો ગાંગુલીને સત્તાવાર આમંત્રણ પણ પાઠવી દીધું છે.
ભાજપ પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યે કહ્યું કે જો સૌરવ ગાંગુલીની તબિયત સારી રહે અને તેઓ પીએમની રેલીમાં આવવા માગતા હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે ગાંગુલી ઘેર પર આરામ કરી રહ્યાં છે તેની અમને ખબર છે. ગાંગુલી હાજર રહેશે તો અમને અને લોકોને પણ ગમશે. પરંતુ તેઓ હાજર રહેશે કે નહીં તેની અમને ખબર નથી. તેનો નિર્ણય ગાંગુલીએ કરવાનો છે.
જોકે સૌરવ ગાંગુલીએ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. અટકળો ચાલી રહી છે કે ગાંગુલીએ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થઈ શકે છે. ભાજપ ગાંગુલીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ બનાવવા માંગ છે.
આપને જણાવી દઈએ કે 48 વર્ષીય સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટિ થઈ હતી અને 31 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સર્જરી દરમિયાન તેમને બે સ્ટેંટ લગાડવામાં આવ્યાં હતા. જાન્યુઆરીની શરુઆતમાં ગાંગુલીને હળવો હાર્ટએટેક આવ્યો હતો. હાલમાં તેઓ ઘેર આરામ કરી રહ્યાં છે, તેમની તબિયત સારી છે.