ધોનીએ સૌરવ ગાંગુલીની કેપ્ટનીમાં 2004માં ડેબ્યૂ કર્યો હતો. ચાર વર્ષ બાદ ગાંગુલીએ ધોનીની કેપ્ટનીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ નાગપુરમાં રમી હતી.
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોની વગર રમવાની આદત પાડવી પડશે કારણ કે બે વખતના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન હંમેશા રમશે નહીં. ગાંગુલીએ એક મીડિયાને કહ્યું, 'ભારતીય ક્રિકેટને એની આદત પાડવી પડશે કે ધોની લાંબા સમય સુધી રમશે નહીં.'
સૌરવ ગાંગુલી, 'દરેક મોટા ખેલાડીએ સંન્યાસ લેવાનો હોય છે. આ ખેલ છે. ફુટબોલમાં મારાડોનાને પણ સંન્યાસ લેવો પડ્યો. તેંડુલકર, લવારા, બેન્ડમેન તમામે ખેલને અલવિદા કહેવું પડ્યું. આવું જ થતું આવ્યું છે. એવામાં ધોનીની સામે આવી જ સ્થિતિ આવશે.' જો કે એમને કહ્યું છે કે છેલ્લો નિર્ણય ધોનીએ જ લેવાનો છે.
જણાવી દઇએ કે ધોનીએ સૌરવ ગાંગુલીની કેપ્ટનસીમાં 2004માં ડેબ્યૂ કર્યો હતો. ચાર વર્ષ બાદ ગાંગુલીએ ધોનીની કેપ્ટનસીમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ નાગપુરમાં રમી હતી. એ દરમિયાન ધોનીએ છેલ્લી મેચની છેલ્લા ક્ષણોમાં ગાંગુલીને ટીમની કેપ્ટનસી સંભાળવા કહ્યું હતું.
પૂર્વ કેપ્ટને આગળ કહ્યું, 'એ હવે કરિયરના એ સ્ટેજ પર છે જ્યાં એને પોતાના સ્તરનું જાતે જ મૂલ્યાંકન કરવું પડશે. એને વિચારવું પડશે કે એ શું ભારતને મેચ જીતાડી શકે છે. શું એ એમએસ ધોનીના સ્તર જેવું પ્રદર્શન કરી શકે છે.'
ગાંગુલીએ કહ્યું, 'સંન્યાસનો નિર્ણય સમગ્ર રીતે ખાનગી છે. ધોની જેવા મોટા ખેલાડીને ખબર છે કે ક્યારે રિટાયર થવાનું છે. પરંતુ આગળની શું યોજના છે, આગળની ચીજો કેવી રીતની હશે એ બધું પસંદગી સમિતિના હાથમાં છે.'
પસંદગીકર્તા અને ટીમ મેનેજમેન્ટે વર્લ્ડકપ 2019 દરમિયાન ધોની પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ ટૂર્નામેન્ટ ભારત જીતાડી શકી નહીં એવામાં વર્લ્ડકપ જીતની સાથે ધોનીના સંન્યાસ લેવાની શક્યતા બની શકી નહીં. હવે એવી માહિતી છે કે હાલ ધોની સંન્યાસ લેવાનો નથી.