બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે વિરાટ કોહલીને કારણ બતાવો નોટીસ મોકલવાનો કોઈ પ્લાન નથી.
કોહલી સામે કડક કાર્યવાહીની તૈયારીમાં હતુ BCCI?
ચાલી રહેલી અટકળો પર સૌરવ ગાંગુલીએ તોડ્યુ મૌન
કોહલીને કારણ બતાવો નોટીસ મોકલવાનો કોઈ પ્લાન નથી
વિરાટે વન-ડેના સુકાનપદેથી હટાવ્યાં બાદ પત્રકાર પરિષદમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા અને સૌરવ ગાંગુલીને ખોટા સાબિત કર્યા હતા. ત્યારબાદ એવા અહેવાલ આવ્યા હતા કે ભારતીય ક્રિકેટ બોર્ડ સૌરવ ગાંગુલીને કારણ બતાવો નોટીસ જાહેર કરી શકે છે.
કોહલીને કારણ બતાવો નોટીસ આપવાના પક્ષમાં બોર્ડ નથી
હવે સૌરવ ગાંગુલીએ આ અહેવાલોને રદીયો આપ્યો છે અને કહ્યું છે કે બોર્ડનો આવો કોઈ પ્લાન નથી. વિરાટે ટેસ્ટનુ કેપ્ટનપદ છોડ્યા બાદ સમાચારમાં કહેવામાં આવ્યું હતુ કે જો કોહલી દક્ષિણ આફ્રકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ કેપ્ટનશિપ નહીં છોડે તો તેને હટાવી દેવામાં આવશે. આ સાથે એવુ પણ કહેવામાં આવ્યું હતુ કે બોર્ડ અધ્યક્ષ ગાંગુલી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા તત્કાલીન ટેસ્ટ કેપ્ટન કોહલીને કારણ બતાવો નોટીસ જાહેર કરવાના હતા. વિરાટની પત્રકાર પરિષદ બાદ ગાંગુલી સહિત બોર્ડના કેટલાંક સભ્યો વિરાટથી નારાજ હતા. ગાંગુલીએ આ અંગે બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી હતી. વિચાર-વિમર્શ બાદ તેમણે આમ નહીં કરવાનો નિર્ણય લીધો.
સૌરવ ગાંગુલીએ શું કહ્યું?
સૌરવ ગાંગુલીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે બીસીસીઆઈનો આવો કોઈ પ્લાન નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ વિરાટને કોઈ નોટીસ મોકલી રહ્યું નથી. બીજી તરફ વિરાટ કોહલી ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી ચૂક્યો છે અને બેટ્સમેન તરીકે ત્રણેય ફોર્મેટમાં રમશે. વિરાટે પહેલા ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી હતી. ત્યારબાદ તેની પાસેથી વન-ડેની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી અને હવે તેમણે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી છે.
વિરાટ શું બોલ્યા હતા?
કોહલીએ દક્ષિણ આફ્રિકા જતા પહેલા પત્રકાર પરિષદમાં અપ્રત્યક્ષ રીતે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને બોર્ડના અન્ય સભ્યો પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો હતો. વિરાટે કહ્યું હતુ કે ટી-20 કેપ્ટનશિપ છોડ્યા બાદ તેમની પાસે કોઈએ વાતચીત કરી નહોતી.