ગત થોડા દિવસોથી ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ચર્ચામાં છે. કારણ છે વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ T-20 સીરિઝમાં સિલેક્ટર્સે તેમને ટીમમાં શામેલ નથી કર્યો. ધોની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયેલી હાલની ટીમ ઇન્ડિયામાં શામેલ નથી. જોકે આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી માને છે કે મહેન્દ્ર સિંહ ધોની એક ચેમ્પિયન છે. 2006ના પ્રવાસ વખતે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સાથે વાતચીત યાદ કરતા ગાંગુલીએ કહ્યુ કે ''મને હજુ પણ યાદ છે કે મુશર્રફે મને પૂછ્યુ હતુ કે તમે ધોનીને ક્યાંથી લઇ આવ્યા છો?'' ગાંગુલીએ કહ્યુ કે મેં તેમણે કહ્યુ કે ''હું વાઘા બોર્ડર પાસે ફરી રહ્યો હતો ત્યાંથી લઇ આવ્યો.''
પૂર્વ કેપ્ટને કહ્યુ કે ''ધોની એક ચેમ્પિયન છે. T-20 વર્લ્ડ કપ જીત્યા પછી ગત 12-13 વર્ષ શાનદાર રહ્યા બસ તેણે સારું પરફૉરમન્સ કરવુ પડશે.'' ગાંગુલીએ આગળ કહ્યુ કે ''જીવનમાં એવું હોવુ જોઇએ તમે જે પણ કામ કરો છો જ્યાં પણ રહો છો જે પણ ઉંમર હોય તમારા પાસે જેટલો પણ અનુભવ છે તમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે નહીં તો કોઇ બીજું તમારી જગ્યા લઇ લેશે.'' 2019 વર્લ્ડ કપલ લાઇનઅપ વિશે પૂછવા પર ગાંગુલીએ જણાવ્યુ કે ''હું એક સિલેક્ટર નથી પરંતુ મને આશા છે કે હાલની ટીમના 85-90% ખિલાડીઓ વર્લ્ડ કપ રમશે.''
પૂર્વ ભારતીય કેપ્ટને તેમ પણ કહ્યુ કે મહિલા T-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની વિરુદ્ઘ સેમિફાઇનલ મેચમાં મિતાલી રાજને શામેલ નથી કરવાના નિર્ણયથી હૈરાન નથી. સતત 2 હાફ સેન્ચુરી કરવા છતાં મિતાલીને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ઘ રમાયેલી મેચમાં અને પછી ઇંગ્લેન્ડની વિરુદ્ઘ રમાયેલી સેમીફાઇનલ મેચમાં બહાર બેસાડવામાં આવી આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગાંગુલીએ કહ્યુ કે ''ભારતનો કેપ્ટન હોવા છતાં મારે ડગઆઉટમાં બેસવુ પડ્યુ હતુ જ્યારે મે જોયુ કે મિતાલી રાજને બહાર કરવામાં આવી તો મેં કહ્યુ કે આ ગ્રુપમાં તમારું સ્વાગત છે.'' આ 46 વર્ષીય ખેલાડીએ પાકિસ્તાન સામે 2006માં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યાદ કરતા કહ્યુ કે ''કેપ્ટન તમને બહાર બેસવાનું કહે તો એવું જ કરો. મેં ફૈસલાબાદમાં આવું જ કર્યુ હતુ. મેં 15 મહિના સુધી વનડે રમી નહોતી. જ્યારે હું વનડેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હતો. જિંદગીમાં ક્યારેક એવું પણ થાય છે ક્યારેક તમને બહારનો રસ્તો પણ બતાવવામાં આવે છે. આ સાથે જ ગાંગુલીએ આગળ કહ્યુ કે ''મિતાલી રાજ માટે કોઇ રસ્તા બંધ થયા નથી.''