ટીમ ઇન્ડિનયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંક સમયમાં નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. સૌરવ ગાંગુલી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( BCCI) ના નવા અધ્યક્ષ તરીકે 23 ઓક્ટોબરના તરીકે કાર્યભાર સંભાળશે. જોકે આ પહેલા સૌરવ ગાંગુલીએ લોઢા કમિટીની ભલામણ પ્રમાણે સ્પષ્ટ કરી દીધુ છે કે, ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી હવે સિલેક્શન કમિટી બેઠકમાં ભાગ નહી લે.
બાંગ્લાદેશની સીરિઝ માટે 24 ઓક્ટોબરના થશે ટીમની પસંદગી
બાંગ્લાદેશ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદી 21 ઓક્ટોબરના થશે, પરંતુ તેની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ટીમની પસંદગી 24 ઓક્ટોબરના થશે. તો 23 ઓક્ટોબરના સૌરવ ગાંગુલી BCCI ના અધ્યક્ષ પદની ખુરશી સંભાળશે. જોકે સિલેક્શન કમિટીના બેઠકમાં ભાગ નહી લઇ શકે.એવામાં તે બેઠ પહેલા તેઓ સિલેક્શન કમિટીના સભ્યોની સાથે વાચતીત કરી શકે છે.
ટીમની પસંદગી સમયે સિલેક્શન કમિટીના સભ્યો, કેપ્ટન વિરાટ કોહલી અને બોર્ડના સચિવ હાજર રહેશે ,પરંતુ કોચ રવિ શાસ્ત્રીની નો એન્ટ્રી હશે, જેના પરથી અંદાજ લાગવવામાં આવી રહ્યો છે કે, સૌરવ ગાંગુલીના આવતા ક્રિકેટની હાલમાં ચાલી રહેલી અસમંજસની સ્થિતિ દૂર થઇ શકે છે. ગત 3-4 વર્ષમાં ઘરેલૂ ક્રિકેટમાં ના રમે તો તેને પૂછવાવાળુમં કોઇ નહતુ, તો કદાચ ખેલાડીઓને આ અંગે જવાબ આપવો પડશે.
ગાંગુલી- શાસ્ત્રીના મતભેદ જગજાહેર:
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને BCCI ના નવા અધ્યક્ષ બનવા જઇ રહેલા સૌરવ ગાંગુલીના મતભેદની વાર્તા જાણીતી છે. 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કોચ રહેલા અનિલ કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે થયેલા મતભેદ પછી કુંબલે કોચ પદથી રાજીનામું આપી દીધુ. આ પછી વિરાટ કોહલીએ શાસ્ત્રીને કોચ બનાવવાની માંગ કરી હતી, જેના પક્ષમાં સૌરવ ગાંગુલી ન હતા. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ અને સચિન તેંડુલકરના કારમએ સૌરવ ગાંગુલીએ પાછળ હટવુ પડ્યુ હતુ. જોકે સૌરવ ગાંગુલીએ ઘણા મૌકા પર રવિ શાસ્ત્રી સામે મોરચા ખોલ્યા છે.