રવિ શાસ્ત્રીનું માનવું છે કે BCCIના અધ્યક્ષના રૂપમાં સૌરવ ગાંગુલીની નિયુક્તિ ભારતીય ક્રિકેટને આગળ લઇ જવાની દિશામાં એક સાચું સ્ટેપ છે.
સૌરવ ગાંગુલીની નિયુક્તિ પર મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન
શાસ્ત્રીએ કહ્યું એમના જેવા શખ્સ BCCIના અધ્યક્ષ પદ માટે યોગ્ય છે
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે BCCIના અધ્યક્ષના રૂપમાં સૌરવ ગાંગુલીની નિયુક્તિ ભારતીય ક્રિકેટને આગળ લઇ જવાની દિશામાં એક યોગ્ય સ્ટેપ છે. શાસ્ત્રીએ કહ્યું, 'બીસીસીઆઇ અધ્યક્ષ બનવા માટે સૌરવને દિલથી શુભેચ્છા પાઠવું છું. એમની નિયુક્તિ ભારતીય ક્રિકેટને સાચી દિશામાં આગળ લઇ જવા માટે મોટો સંકેત છે.'
રવિ શાસ્ત્રીએ કહ્યું, 'એ હંમેશાથી એક સ્વાભાવિક નેતા રહ્યા છે. એમના જેવા શખ્સ આ પદ માટે યોગ્ય છે. એમને આ પહેલા બંગાળ ક્રિકેટ સંઘને પણ તાર પાંચ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે. હવે બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે એમની પસંદગી થવી ભારતીય ક્રિકેટ માટે યોગ્ય પગલું છે.'
મુખ્ય કોચે મીડિયામાં જણાવ્યું કે, 'ભારતીય ક્રિકેટ બોર્ડ માટે આ સમય મોટો પરેશાનીથી ભરેલો હતો. એમને બીસીસીઆઇને ફરીથી વિશાળ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે.' શાસ્ત્રીએ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને એમની પર પ્રશ્નો ઊઠાવનાર લોકોની ટીકા કરી.
કોચે કહ્યું, 'એ ખુદ અને જે પણ એમને જાણે છે બધાને ખબર છે કે એ જલ્દીથી આ મેચથી દૂર થઇ જશે. તો પછી એને જ્યારે થવાનું છે ત્યારે થવા દો. એમને લઇને ખુદે નિવેદનબાજી કરવી એમના પ્રત્યે અસમ્માન છે.'